(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે કાર્યકર્તાઓ સાથે આમલી સ્થિત શિવસેના કાર્યાલય પર રાખવામાં આવેલ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ત્યારબાદ તેમણે શિવાજી મહારાજની કાર્યશૈલીને સાથે લઈને ચાલવાની વાત કરી હતી અને દરેક શિવ સૈનિકો, કાર્યકર્તાઓનો આભારવ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે દાનહ અને દમણ દીવ પ્રદેશ શિવસેના દ્વારા તિથિ મુજબ આગામી 22 માર્ચના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવવાની પણ જાહેરાત કર હતી.
Previous post