July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) આલીદર, તા.20
ગાયત્રી પરિવાર આલીદર અને શ્રી રણછોડ બાપુ આંખની હોસ્‍પિટલ રાજકોટનાં સંયુક્‍ત ઉપક્રમેઆલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 250 જેટલા દર્દીઓની આંખોનું નિદાન કરવામાં આવ્‍યું હતું. જેમાંથી 51 જેટલા દર્દીઓને મોતિયાના નિઃશુલ્‍ક ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્‍યાં હતા. તેમજ દર્દીઓને ચા પાણી અને ભોજનની વ્‍યવસ્‍થા દાતા શ્રી ગોવિંદભાઈ પઢિયાર અને ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ તકે વજુભાઈ બારડ, પ્રતાપભાઈ જોશી, વજુભાઈ સોલંકી, મહેશભાઈ પંડ્‍યા, ભરતભાઈ બારૈયા વગેરે ગ્રામજનો સેવાકાર્યમાં સહભાગી બન્‍યા હતા. એવું ગાયત્રી પરિવાર આલીદરનાં સંયોજક અને શ્રી માધ્‍યમિક શાળાનાં ભૂતપૂર્વ આચાર્ય શ્રી જગમાલભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.

Related posts

દાનહ નવા સ્‍પોર્ટ્‌સ કોમ્‍પલેક્ષ ખાતે યોગા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે આઈકોનિક વીકની ઉજવણી સંપન્ન

vartmanpravah

લ્‍યો કરો વાત..! છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી કચીગામ-ઝરીના બ્રિજની સ્‍ટ્રીટ લાઈટો બંધ છતાં જવાબદાર તંત્રનું ભેદી મૌન

vartmanpravah

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah

જિલ્લા કક્ષાના યુવા મતદાર મહોત્‍સવમાં રાનકુવા હાઈસ્‍કૂલ છવાઈ

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદેશ માટેની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment