(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) આલીદર, તા.20
ગાયત્રી પરિવાર આલીદર અને શ્રી રણછોડ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટનાં સંયુક્ત ઉપક્રમેઆલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250 જેટલા દર્દીઓની આંખોનું નિદાન કરવામાં આવ્યું હતું. જેમાંથી 51 જેટલા દર્દીઓને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યાં હતા. તેમજ દર્દીઓને ચા પાણી અને ભોજનની વ્યવસ્થા દાતા શ્રી ગોવિંદભાઈ પઢિયાર અને ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ તકે વજુભાઈ બારડ, પ્રતાપભાઈ જોશી, વજુભાઈ સોલંકી, મહેશભાઈ પંડ્યા, ભરતભાઈ બારૈયા વગેરે ગ્રામજનો સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા. એવું ગાયત્રી પરિવાર આલીદરનાં સંયોજક અને શ્રી માધ્યમિક શાળાનાં ભૂતપૂર્વ આચાર્ય શ્રી જગમાલભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.