Vartman Pravah
Breaking Newsગુજરાત

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) આલીદર, તા.20
ગાયત્રી પરિવાર આલીદર અને શ્રી રણછોડ બાપુ આંખની હોસ્‍પિટલ રાજકોટનાં સંયુક્‍ત ઉપક્રમેઆલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 250 જેટલા દર્દીઓની આંખોનું નિદાન કરવામાં આવ્‍યું હતું. જેમાંથી 51 જેટલા દર્દીઓને મોતિયાના નિઃશુલ્‍ક ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્‍યાં હતા. તેમજ દર્દીઓને ચા પાણી અને ભોજનની વ્‍યવસ્‍થા દાતા શ્રી ગોવિંદભાઈ પઢિયાર અને ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ તકે વજુભાઈ બારડ, પ્રતાપભાઈ જોશી, વજુભાઈ સોલંકી, મહેશભાઈ પંડ્‍યા, ભરતભાઈ બારૈયા વગેરે ગ્રામજનો સેવાકાર્યમાં સહભાગી બન્‍યા હતા. એવું ગાયત્રી પરિવાર આલીદરનાં સંયોજક અને શ્રી માધ્‍યમિક શાળાનાં ભૂતપૂર્વ આચાર્ય શ્રી જગમાલભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.

Related posts

દમણ ખાતે યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદના વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષભર થનારા કાર્યક્રમોની કરાયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

દમણ અને દીવથી પ્રથમ બેઠક જીતાડી ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્‍પ સાથે ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગ આપવા લાલુભાઈ પટેલે કરેલું આહ્‌વાન

vartmanpravah

છેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જા રાખનારા ચીખલી રાનવેરી કલ્લાના ૪ ઈસમો સામે નોંધાયેલો ગુનો

vartmanpravah

વાપીમાં ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ટ્રસ્‍ટ દ્વારા વી.આઈ.એ.માં હિન્‍દી કવિ સંમેલન યોજાયું

vartmanpravah

આસામના દિફુમાં શાંતિ અને વિકાસ રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

રાજકોટ ખાતે આયોજીત ત્રિ-દિવસીય ઈન્‍ડિયન અર્બન હાઉસિંગ કોન્‍કલેવ-2022ના ઉદ્‌ઘાટન સમારંભમાં દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન કરવાવાળા કેન્‍દ્ર શાસિત પ્રદેશની વિશેષ શ્રેણીનો મળેલો પ્રથમ પુરસ્‍કાર

vartmanpravah

Leave a Comment