Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડના સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ ખાતે અનુબંધમ પોર્ટલ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

વલસાડઃ તા. 24: વલસાડના સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા જિલ્લા રોજગાર કચેરી તેમજ મોડેલ કેરીયર સેન્‍ટરના સહયોગથી અનુબંધમ પોર્ટલ અંતર્ગત માહિતી અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારમાં રોજગાર કચેરીના દિપેશભાઈ ભોયાએ રોજગાર કચેરી દ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી. રોજગાર વિભાગ દ્વારા વર્તમાન સમયમાં ચાલુ કરેલા અનુબંધમ પોર્ટલ ઉમેદવારો કેવી રીતે પોતાનું રજિસ્‍ટ્રેશન કરાવી શકે તેની સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી અને આ નોંધણી માટે કયા-કયા ડોકયુમેન્‍ટની જરૂર રહેશે તે અંગે પણ સમજણ આપી હતી. રોજગાર કચેરીના કેતનભાઈ ચાંપાનેરીએ ઉમેદવારોને કારકિર્દી ઘડતરમાં અનુબંધમ પોર્ટલ કેવી રીતે ઉપયોગી નીવડી શકે તેની સચોટ જાણકારી આપી હતી. સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ યુવાનોને કૌશલ્‍યવાન બનાવી રોજગારી મેળવવા અને પગભર થવા માટે મદદરૂપ થાય છે તે બદલ ઉપસ્‍થિત અધિકારીઓએ તેમની કામગીરીની બિરદાવી હતી.
આ સેમિનારને સફળ બનાવવા સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટના પારૂલ ગજ્જર, ફરહા શેખ, અને કેફિસાબેન મુલાતાનીનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા ભારતરત્‍ન અટલ બિહારી બાજપાઈની 5મી પુણ્‍યતિથિએ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રવિવારે દાનહના કરચોંડ ઘાટ ઉપર ખાનગી બસની બ્રેક ફેઈલ થતાં અકસ્‍માતમાં ક્‍લીનરનું ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

દાનહ પોલીસે ઉમરકૂઈના એક ઘર પાસે પાર્ક કરેલ બે ગાડીમાંથી રૂા.42,880નો દારૂ જપ્ત કરવા મેળવેલી સફળતા

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો આપણી સંસ્કૃતિમાં સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે, સેવાને ભક્તિ, શ્રદ્ધા અને આરાધના કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છેઃ પીએમ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

Leave a Comment