January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન એ.કે.સિંઘે પોતાની સંપૂર્ણ નિષ્‍ઠા સાથે બજાવેલી ફરજઃ પ્રશાસકશ્રીના સલાહકાર કાર્યાલયના સ્‍ટાફ દ્વારા આપવામાં આવ્‍યું ભવ્‍ય વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘની ગૃહ મંત્રાલય દ્વારા દિલ્‍હી બદલીનો આદેશ થતાં આજે તેમને રિલીવ કરાયા છે અને તેમના સ્‍થાને નવનિયુક્‍ત સલાહકાર તરીકે શ્રી વિકાસ આનંદે પોતાનો અખત્‍યાર સંભાળી લીધો છે.
આજે પ્રશાસકશ્રીના સલાહકારના કાર્યાલયમાં વિદાય લઈ રહેલા શ્રી અનિલ કુમાર સિંઘને ભાવભીનુંવિદાયમાન સ્‍ટાફના સભ્‍યો દ્વારા આપવામાં આવ્‍યું હતું. જ્‍યારે નવનિયુક્‍ત પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદનું વેલકમ કરવામાં આવ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, 2019ના ઓગસ્‍ટમાં 1995 બેચના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘની બદલી સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે કરવામાં આવી હતી. લગભગ 3 વર્ષના કાર્યકાળ દરમિયાન શ્રી એ.કે.સિંઘે પોતાની નિષ્‍ઠાથી ફરજ બજાવી પ્રશાસનની વિવિધ યોજનાઓને કાર્યાન્‍વિત કરાવવા સફળ રહ્યા હતા.
આજે પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે શ્રી વિકાસ આનંદે પોતાનો અખત્‍યાર સંભાળી લીધો છે. તેમની છાપ તેજતર્રાર અને ગતિશીલ અધિકારી તરીકેની હોવાથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સાથે કદમથી કદમ મેળવી નવા દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિર્માણમાં તેમની ભૂમિકા પણ મહત્‍વની રહેશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામના ધોડીપાડા ખાતે ધારાસભ્‍ય રમણલાલ પાટકરના અધ્‍યક્ષસ્‍થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

vartmanpravah

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

vartmanpravah

દમણવાડા મંડળ ખાતે ભાજપના 42માં સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે વિજ્‍યાદશમીએ કરેલું પથ સંચલન

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. ૬ અને ૭ ડિસે.એ યોજાનાર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment