April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

ચીખલી પોલીસે ત્રણ જેટલા પાસપોર્ટ આરોપીના ઘરેથી જ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.23
ચીખલી પોલીસે વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે રૂા.49.90 લાખની છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર, રિમાન્‍ડના પ્રથમ દિવસે ત્રણ જેટલા પાસપોર્ટ આરોપીના ઘરેથી જ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ ગુનાના તાર દિલ્‍હી સાથે જોડાયેલા હોવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ વિદેશમાં નોકરી અપાવવાના બહાને ચીખલી તથા આસપાસનો 15જેટલા વ્‍યક્‍તિઓ પાસેથી પૈસા લીધા બાદ વિદેશ ન મોકલાવી કુલ-રૂા.45.90 લાખની છેતરપીંડીના ગુનાના આરોપી તેજરાજ પીનાકિન પટેલ (રહે.અંબાજી નગર ખૂંધ તા ચીખલી) ને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડની માંગણી કરતા નામદાર કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર કરાતા આરોપીને સાથે રાખી તેના ધરમાં તપાસ કરતા ત્રણ જેટલા પાસપોર્ટ મળી આવતા પોલીસે કબ્‍જે લીધા હતા.વધુમાં આરોપી વિદેશ મોકલવાનો કારભાર દિલ્‍હીના કોઈવ્‍યક્‍તિ સાથે કરતો હોવાનું અને અન્‍ય લોકોના પાસપોર્ટ પણ તેને આપેલા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્‍યું છે.
ઉપરોક્‍ત છેતરપીંડીના ગુનામાં આગામી દિવસોમાં ભોગ બનનારાઓની સંખ્‍યા અને છેતરપીંડીની રકમ પણ વધે તો નવાઈ નહિ. ગુનાની વધુ તપાસ પીએસઆઇ ડી.આર.પઢેરીયા કરી રહ્યા છે

Related posts

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

vartmanpravah

સાબરકાંઠાઃ ઈડરના તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલનો એક તરફી પ્રેમ પ્રકરણનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલઃ નિર્દોષ મહિલાકર્મીની ક્ષોભજનક સ્‍થિતિ

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવ લોકસભા બેઠકની 1998ની ચૂંટણી માછી સમાજ વિરૂદ્ધ કોળી પટેલ સમાજની બનીહતી

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્‍ન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે દમણઃ ઘેલવાડ ગ્રા.પં.ના સરપંચ હિતાક્ષીબેન અને જિજ્ઞેશ પટેલ દંપતિએ બાળકોને હેતપૂર્વક કરાવેલું ભોજન

vartmanpravah

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

બાળ કલ્‍યાણ સમિતિ અને કિશોર ન્‍યાય બોર્ડ, દીવ દ્વારા કોવિડ મહામારી દરમ્‍યાન પોતાના બંને માતા-પિતા ગુમાવનાર વણાકબારાના ચાર અનાથ બાળકોના વાર્ષિક મકાન ભાડા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી

vartmanpravah

Leave a Comment