Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

12 વર્ષ બાદ દીવ પધારેલા પૂર્વ કલેક્‍ટર કિશન કુમારના ઉદ્‌ગાર : ‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ”

  • પશ્ચિમ ભારતનું સ્‍વર્ગ બની ચૂકેલું દીવ : પ્રશાસને શિક્ષણ, સંસ્‍કૃતિ અને પ્રવાસનના સમન્‍વય સાથે કરેલો બેનમૂન વિકાસ

  • ભૂતકાળમાં અધિકારીઓ દ્વારા ઓફિસના કલર બદલવા કે ફર્નિચરને આમથી તેમ કરવામાં જ સમય પસાર કરાયેલો હોવાની નિખાલસ કબૂલાત કરતા કિશન કુમાર : સાચુ શીખવાનું હવે મળી રહ્યુહોવાની પોતાના જુનિયર અધિકારીઓને કરેલી સીધી વાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.27
‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ” ખરેખર દીવ પヘમિ ભારતનું સ્‍વર્ગ બની ગયું હોવાનો ઉદ્‌ગાર દીવના પૂર્વ કલેક્‍ટર શ્રી કિશન કુમારે વ્‍યક્‍ત કર્યો હતો.
શ્રી કિશન કુમાર પોતાના કોર્ટના કામસર દસ વર્ષ બાદ દીવ પહોંચ્‍યા હતા. તેઓ 2011-1રમાં દીવના કલેક્‍ટર હતા અને કલેક્‍ટર તરીકે તેમણે દીવના લોકોને સ્‍વચ્‍છતાના પાઠ સફળતાપૂર્વક ભણાવ્‍યા હતા.
શ્રી કિશન કુમારે જણાવ્‍યું હતું કે, જ્‍યાં શિક્ષણ, સંસ્‍કૃતિ અને પ્રવાસનના સમન્‍વય સાથે કરાયેલા વિકાસથી દીવ ખરેખર પヘમિ ભારતનું સ્‍વર્ગ બની ચૂક્‍યુ હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રશાસનિક ઈચ્‍છાશક્‍તિ અને દીર્ઘદૃષ્‍ટિ વગર આ વિકાસ સંભવ જ નથી.
મળતી માહિતી પ્રમાણે શ્રી કિશન કુમારે દીવના નવનિયુક્‍ત કલેક્‍ટર શ્રી ફરમન બ્રહ્મા અને એડીએમ શ્રી ડો. વિવેક કુમારને પણ જણાવ્‍યું હતું કે તમારા શરુઆતની કારકિર્દીમાં પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ પાસે જે શીખવાનું મળી રહ્યું છે, તે માટે તમે ખરેખર ભાગ્‍યશાળી છો. કારણ કે ભૂતકાળમાં આપણે ઓફિસના કલર બદલતા હતા કે ફર્નિચરને આમથી તેમ કરવામાં જ સમય પસાર કરતા હતા. પરંતુ હવેસાચુ શીખવાનું મળી રહ્યુ હોવાની સીધી વાત પણ તેમણે કરી હતી.
શ્રી કિશન કુમારે વધુમાં જણાવ્‍યું હતું કે, અંદામાન નિકોબારમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની સાથે લક્ષદ્વીપના થઈ રહેલા વિકાસની ફક્‍ત વાતો સાંભળી હતી. પરંતુ આજે હકિકત જોવાના મળેલા અવસર બદલ પોતાને ભાગ્‍યશાળી પણ ગણ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, દીવના ટૂંકા પ્રવાસ દરમિયાન એજ્‍યુકેશન હબ, ખુકરી મેમોરીયલ, નાગવા અને ઘોઘલા બીચ, દીવ ફોર્ટ, નાયડા ગુફા વગેરેની થઈ રહેલી કાયાપલટ બેનમૂન હોવાનું જણાવ્‍યું હતું અને દીવના લોકો ખરેખર ભાગ્‍યશાળી હોવાનું તેમણે સ્‍વીકાર્યુ હતું.

Related posts

અમદાવાદના માન યુથ સર્કલ ટ્રસ્‍ટના સૌજન્‍યથી ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત દીવ જિલ્લા પ્રશાસન દ્વારા ‘કાલી રાણી’ નાટકની કરાયેલી પ્રસ્‍તૂતિ

vartmanpravah

સલવાવની, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના એકેડેમિક કેમ્‍પસ ડિરેક્‍ટર ડો. શૈલેષ વી. લુહારનું ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા દ્વારા જન ઔષધિ કેન્‍દ્ર માર્ગદર્શક તરીકે નામાંકન થયું

vartmanpravah

પ્રદેશના સર્વાંગી વિકાસ માટે દાનહ અને દમણ-દીવ માટે ભવિષ્‍યમાં આટલો અનુકૂળ સમય ભાગ્‍યે જ આવશે

vartmanpravah

બંધારણ ગૌરવ અભિયાન દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશ ભાજપ અનુ.જાતિ મોર્ચાએ ક્‍વિઝ સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

વાપી ડેપોના ડ્રાઇવર-કંડક્‍ટરે ફરી એકવાર પ્રમાણિકતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્‍યું

vartmanpravah

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

Leave a Comment