December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

12 વર્ષ બાદ દીવ પધારેલા પૂર્વ કલેક્‍ટર કિશન કુમારના ઉદ્‌ગાર : ‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ”

  • પશ્ચિમ ભારતનું સ્‍વર્ગ બની ચૂકેલું દીવ : પ્રશાસને શિક્ષણ, સંસ્‍કૃતિ અને પ્રવાસનના સમન્‍વય સાથે કરેલો બેનમૂન વિકાસ

  • ભૂતકાળમાં અધિકારીઓ દ્વારા ઓફિસના કલર બદલવા કે ફર્નિચરને આમથી તેમ કરવામાં જ સમય પસાર કરાયેલો હોવાની નિખાલસ કબૂલાત કરતા કિશન કુમાર : સાચુ શીખવાનું હવે મળી રહ્યુહોવાની પોતાના જુનિયર અધિકારીઓને કરેલી સીધી વાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.27
‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ” ખરેખર દીવ પヘમિ ભારતનું સ્‍વર્ગ બની ગયું હોવાનો ઉદ્‌ગાર દીવના પૂર્વ કલેક્‍ટર શ્રી કિશન કુમારે વ્‍યક્‍ત કર્યો હતો.
શ્રી કિશન કુમાર પોતાના કોર્ટના કામસર દસ વર્ષ બાદ દીવ પહોંચ્‍યા હતા. તેઓ 2011-1રમાં દીવના કલેક્‍ટર હતા અને કલેક્‍ટર તરીકે તેમણે દીવના લોકોને સ્‍વચ્‍છતાના પાઠ સફળતાપૂર્વક ભણાવ્‍યા હતા.
શ્રી કિશન કુમારે જણાવ્‍યું હતું કે, જ્‍યાં શિક્ષણ, સંસ્‍કૃતિ અને પ્રવાસનના સમન્‍વય સાથે કરાયેલા વિકાસથી દીવ ખરેખર પヘમિ ભારતનું સ્‍વર્ગ બની ચૂક્‍યુ હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રશાસનિક ઈચ્‍છાશક્‍તિ અને દીર્ઘદૃષ્‍ટિ વગર આ વિકાસ સંભવ જ નથી.
મળતી માહિતી પ્રમાણે શ્રી કિશન કુમારે દીવના નવનિયુક્‍ત કલેક્‍ટર શ્રી ફરમન બ્રહ્મા અને એડીએમ શ્રી ડો. વિવેક કુમારને પણ જણાવ્‍યું હતું કે તમારા શરુઆતની કારકિર્દીમાં પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ પાસે જે શીખવાનું મળી રહ્યું છે, તે માટે તમે ખરેખર ભાગ્‍યશાળી છો. કારણ કે ભૂતકાળમાં આપણે ઓફિસના કલર બદલતા હતા કે ફર્નિચરને આમથી તેમ કરવામાં જ સમય પસાર કરતા હતા. પરંતુ હવેસાચુ શીખવાનું મળી રહ્યુ હોવાની સીધી વાત પણ તેમણે કરી હતી.
શ્રી કિશન કુમારે વધુમાં જણાવ્‍યું હતું કે, અંદામાન નિકોબારમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની સાથે લક્ષદ્વીપના થઈ રહેલા વિકાસની ફક્‍ત વાતો સાંભળી હતી. પરંતુ આજે હકિકત જોવાના મળેલા અવસર બદલ પોતાને ભાગ્‍યશાળી પણ ગણ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, દીવના ટૂંકા પ્રવાસ દરમિયાન એજ્‍યુકેશન હબ, ખુકરી મેમોરીયલ, નાગવા અને ઘોઘલા બીચ, દીવ ફોર્ટ, નાયડા ગુફા વગેરેની થઈ રહેલી કાયાપલટ બેનમૂન હોવાનું જણાવ્‍યું હતું અને દીવના લોકો ખરેખર ભાગ્‍યશાળી હોવાનું તેમણે સ્‍વીકાર્યુ હતું.

Related posts

વલસાડ ખેરગામ રોડ ઉપર બે બાઈક ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

વલસાડમાં હિટ એન્‍ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

vartmanpravah

કપરાડા વિધાનસભા વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૮૯ લાખના ખર્ચે બનનાર રોડનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સમર્પણ જ્ઞાન સ્‍કૂલને બેસ્‍ટ ક્રિએટિવિટી પેઇન્‍ટિંગ એવોર્ડ એનાયત

vartmanpravah

ઈન્‍ડો-યુરોપિયન બિઝનેશ ફોરમ દ્વારા આયોજીત લંડનમાં ‘‘ઈન્‍ટરનેશનલ કોન્‍કલેવ ઓન ગુડ ગવર્નન્‍સ-2024”માં સન્‍માનિય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને મળેલું આમંત્રણ

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

Leave a Comment