April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ એનએસએસના વોલ્‍યુન્‍ટરો રાજપુરા પંજાબ ખાતે રાષ્‍ટ્રીય એક્‍તા શિબિરમાં ભાગ લેશે

કોરોનાકાળ બાદ પહેલી વખત પ્રદેશના એનએસએસ વોલ્‍યુન્‍ટરોને સાંસ્‍કૃતિ કૃતિઓને રાષ્‍ટ્રીય મંચ ઉપર પ્રસ્‍તુત કરવાની તક મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય નવી દિલ્‍હીના તત્‍વધાનમાં રાષ્‍ટ્રીય સેવા યોજના ક્ષેત્રીય નિર્દેશાલય ચંદીગઢ દ્વારા દાનહ એનએસએસ સેલના સ્‍વયંસેવકોને 20થી 26મે સુધી ચીતકારા યુનિવર્સીટી પટિયાલા પંજાબમા આયોજીત રાષ્‍ટ્રીય એકતા શિબિરમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામા આવ્‍યા છે.
દાનહના દુધની, રાંધા, રખોલી, ગલોન્‍ડા, દપાડા, સેલવાસ, નરોલી અને ખાનવેલ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાથી પસંદગી પામેલ 20 સ્‍વયંસેવક અને કાર્યક્રમ અધિકારી આ શિબિરમાં દાનહની સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરશે. જેમા વારલી કલા, તારપા નળત્‍ય, પ્રદેશની બોલી અને પરિધાનને એકતા શિબિરમા ભાગ લેનાર આંધ્રપ્રદેશ, કેરલા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને ચંદીગઢ રાજ્‍યના સ્‍વયંસેવક સાથે આપ-લે કરશે.
કાર્યક્રમ અધિકારી શ્રી શૈલેષ પટેલના નેતૃત્વમાં કાર્યક્રમ સમન્‍વયક ડો.મનિષા પટેલના માર્ગદર્શનમાં સ્‍વયંસેવકોને દાનહની સાંસ્કૃતિક કૃતિઓને રાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રસ્તુત કરવા માટે અભ્‍યાસ કર્યો હતો. એક ભારત શ્રેષ્ઠ ભારતના માધ્‍યમથી દાનહ અને ચંદીગઢ હંમેશા જોડાયેલા રહે છે અને સમય સમયે પોતપોતાના પ્રદેશની વિરાસત અને શૈક્ષણિક વિષયોને વર્ચ્‍યુઅલ માધ્‍યમ દ્વારા પ્રસ્તુત કરતા રહે છે.
રાષ્‍ટ્રીય એકતા શિબિર કોરોના બાદ પ્રથમ અવસર છે પ્રદેશના સ્‍વયંસેવકોને સાંસ્‍કળતિક કૃતિઓને રાષ્‍ટ્રીય મંચ પર પ્રસ્‍તળત કરવાનો અવસર પ્રાપ્ત થશે.
આ અવસરે શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ, શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલ અને રાજ્‍ય એનએસએસ અધિકારી શ્રી ગૌરાંગ વોરાએ દરેકને હાર્દિક શુભકામના આપી હતી.

Related posts

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને ભીમપોર ગ્રા.પં. ખાતે યોજાયેલ જીપીડીપીની ગ્રામસભામાં સાંસદ ઉમેશભાઈ પટેલનો આરોપઃ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઈરાદાપૂર્વક પંચાયતી રાજની સત્તાઓ આપવામાં નથી આવતી

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિત સમક્ષ લેખિત માંગ કરી

vartmanpravah

વાપી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલજ ‘‘પ્રોત્‍સાહન 2023” વાર્ષિકોત્‍સવ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં ઉજવાયો

vartmanpravah

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment