February 4, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

ડેલકર પરિવાર દ્વારા ગૌશાળા માટે રૂા.1.પ0 લાખનું દાન અને સાંસદનિધિના ફંડની ફાળવણી તથા ગૌશાળાનો કાર્યક્રમ પોતાના પિતા સ્‍વ.મોહનભાઈ ડેલકરની શ્રદ્ધાંજલિ સ્‍વરૂપ હોવાની શિવસેના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકરે વ્‍યક્‍ત કરેલી લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાથી શરૂ કરી રૂા. 05 લાખ 50 હજારના ફંડની ફાળવણી ગૌશાળાને કરી એક શુભશરૂઆતનો પ્રારંભ કર્યો હોવાની લાગણી પણ વહેતી થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, શીવસેનાના પ્રદેશ પ્રમુખ શ્રી અભિવન ડેલકર તથા સાંસદના દીકરી દિવીતાએ સમર્પણ સ્‍મૃતિ સપ્તાહ અંતર્ગત સેલવાસ ખાતે આવેલી ગૌશાળાની મુલાકાત લઈ ગૌપૂજા પણ કરી હતી.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે દાનહના કલેક્‍ટરને સાંસદનિધિની સ્‍વીકૃતિ માટે પાઠવવામાં આવેલ પત્રમાં લાવારીસ ગાયોની સારી રીતે દેખભાળ અને સુરક્ષા માટે ગૌશાળા ભવન બનાવવા રૂા. 05 લાખ પ0 હજારની ફાળવણી કરી હોવાનું જણાવ્‍યું છે. ડેલકર પરિવાર દ્વારા પોતાના તરફથી પણ રૂા. 1લાખ પ0 હજારના દાનનો ચેક ગૌશાળાના સંચાલકોને એનાયત કરવામાં આવ્‍યો હતો.
શીવસેનાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી અભિનવ ડેલકરે ગૌશાળાનો કાર્યક્રમ, સાંસદનિધિનું ફંડ તથા ડેલકર પરિવાર દ્વારા આપવામાં આવેલ એ તેમના પિતા અને સાંસદ સ્‍વ. શ્રી મોહનભાઈ ડેલકરની શ્રદ્ધાજંલિ સ્‍વરૂપ હોવાની લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

દાનહની ઉમરકૂઈ સરકારી શાળામાં સ્‍પર્શેન્‍દ્રિય રક્‍તપિત્ત રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સ્‍કૂલમાં મંદબુદ્ધિ તેમજ બહેરા-મૂંગા બાળકોની સાથે બેસીને ફળ ખવડાવ્‍યા

vartmanpravah

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

vartmanpravah

વલસાડ ફીટ ઈન્‍ડિયા સાઇકલીંગમાં 10 કિમીની સાઈકલ રાઈડ યોજાઈ

vartmanpravah

ચિવલમાં ફાયનાન્‍સ કંપનીના લોન પેટેની રકમ બાબતના વારંવાર ફોનથી કંટાળી પીયાગો માલિકે રિક્ષા સળગાવી દીધી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 14મી નવેમ્‍બરે આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah

Leave a Comment