April 26, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

ડેલકર પરિવાર દ્વારા ગૌશાળા માટે રૂા.1.પ0 લાખનું દાન અને સાંસદનિધિના ફંડની ફાળવણી તથા ગૌશાળાનો કાર્યક્રમ પોતાના પિતા સ્‍વ.મોહનભાઈ ડેલકરની શ્રદ્ધાંજલિ સ્‍વરૂપ હોવાની શિવસેના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકરે વ્‍યક્‍ત કરેલી લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાથી શરૂ કરી રૂા. 05 લાખ 50 હજારના ફંડની ફાળવણી ગૌશાળાને કરી એક શુભશરૂઆતનો પ્રારંભ કર્યો હોવાની લાગણી પણ વહેતી થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, શીવસેનાના પ્રદેશ પ્રમુખ શ્રી અભિવન ડેલકર તથા સાંસદના દીકરી દિવીતાએ સમર્પણ સ્‍મૃતિ સપ્તાહ અંતર્ગત સેલવાસ ખાતે આવેલી ગૌશાળાની મુલાકાત લઈ ગૌપૂજા પણ કરી હતી.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે દાનહના કલેક્‍ટરને સાંસદનિધિની સ્‍વીકૃતિ માટે પાઠવવામાં આવેલ પત્રમાં લાવારીસ ગાયોની સારી રીતે દેખભાળ અને સુરક્ષા માટે ગૌશાળા ભવન બનાવવા રૂા. 05 લાખ પ0 હજારની ફાળવણી કરી હોવાનું જણાવ્‍યું છે. ડેલકર પરિવાર દ્વારા પોતાના તરફથી પણ રૂા. 1લાખ પ0 હજારના દાનનો ચેક ગૌશાળાના સંચાલકોને એનાયત કરવામાં આવ્‍યો હતો.
શીવસેનાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી અભિનવ ડેલકરે ગૌશાળાનો કાર્યક્રમ, સાંસદનિધિનું ફંડ તથા ડેલકર પરિવાર દ્વારા આપવામાં આવેલ એ તેમના પિતા અને સાંસદ સ્‍વ. શ્રી મોહનભાઈ ડેલકરની શ્રદ્ધાજંલિ સ્‍વરૂપ હોવાની લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ અને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોએ જમ્‍પોર અને દેવકા બીચની કરેલી સાફ-સફાઈ

vartmanpravah

દપાડા ગ્રા.પં.ના સરપંચ છગનભાઈ માહલા સસ્‍પેન્‍ડઃ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માએ જારી કરેલો આદેશ

vartmanpravah

એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

ચીખલી તાલુકા કોળી પટેલ સમાજવાડીમાં ગોપાળજી સાંસ્‍કળતિક ભવનનું ધાર્મિક કાર્યક્રમોના સાથે દાતા પરિવારના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

vartmanpravah

Leave a Comment