દમણના સુપ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિત મહારાજ દ્વારા સતત નવમા વર્ષે શિવ સિન્ધુ મહોત્સવના કરાયેલા આયોજનમાં 50 યુગલોએ લીધેલોભાગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02
મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે મંગળવારે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા મોટી દમણના નવા જમ્પોર ભીતવાડી સમુદ્ર કિનારે શિવ સિન્ધુ મહોત્સવના કરેલા આયોજનમાં પચાસ જેટલા યુગલોએ શાષાોક્ત વિધિથી અભિષેક કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા શિવ સિન્ધુ મહોત્સવમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી પૂજા-અર્ચના સાથે અભિષેક કરાયો હતો.
આ મહોત્સવમાં દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા), દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પણ સજોડે ભાગ લીધો હતો.