October 20, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણમાં પોલીસ વિભાગ દ્વારા ત્રિરંગા રેલી યોજાઈ: એકતા, અખંડિતતા અને અનુશાસનનો આપેલો સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ,તા.12: દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનથી ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રામ પંચાયતો, નગરપાલિકા સહિત શૈક્ષણિક સંસ્‍થાઓ અને વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા તિરંગાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. જેની કડીમાં આજે દમણ પોલીસ વિભાગ દ્વારા આકર્ષક અને શિસ્‍તબદ્ધ તિરંગા રેલીનું આયોજન કર્યું હતુંજેને દમણના એસ.ડી.પી.ઓ. શ્રી રજનીકાંત અવધિયાએ લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ડી.આઈ.જી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાના માર્ગદર્શન અને એસ.ડી.પી.ઓ. શ્રી રજનીકાંત અવધિયાની આગેવાની હેઠળ દમણ પોલીસ વિભાગ દ્વારા આજે તિરંગા રેલી કાઢી હતી. જે જમ્‍પોર બીચથી મોટી દમણ લાઈટ હાઉસ સુધી અને તિરંગા યાત્રા રેલી કાઢવામાં આવી હતી. દમણ પોલીસ વિભાગ દ્વારા આયોજીત તિરંગા રેલીમાં જિલ્લાના પાંચેય પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. જેમાં મોટી સંખ્‍યામાં મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા.
આ અવસરે ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન હેઠળ પોલીસ અધિકારીઓએ લોકોને તેમના ઘરે રાષ્ટ્રધ્‍વજફરકાવવાની અપીલ કરી હતી અને ધ્‍વજ સંહિતાનું પાલન કરવાની પણ અપીલ કરી હતી. તિરંગા રેલી દરમિયાન દેશભક્‍તિના ગીતો પણ વગાડવામાં આવ્‍યા હતા.

Related posts

વલસાડ આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસ ઉજવાયો, ધરમપુર-કપરાડાના ૧૨ પુરૂષની નસબંધી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દમણઃ વરકુંડ મોટા ફળિયા ખાતે રસ્‍તામાં પડેલ ઝાડને ખસેડવાનીબાબતમાં થયેલ બબાલમાં મરઘી કાપવાના છરાથી વધેરી નાંખવાનો પ્રયાસ

vartmanpravah

વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ભવ્‍ય અને વિશાળ રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

વલસાડના સરદાર પટેલ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલી અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં ગુજરાત તરફથી રમતા દમણના સરલ પ્રજાપતિએ જમ્‍મુકાશ્‍મીરની ટીમ સામે કરેલું ભવ્‍ય પ્રદર્શનઃ ગુજરાતનો 8 વિકેટથી વિજય

vartmanpravah

વાપીના 99 ઉદ્યોગપતિઓને ઉદ્યોગમાંથી નિકળતું પાણી સીઈટીપીમાં છોડવા માટે જી.પી.સી.બી.એ પરમીશન આપી

vartmanpravah

Leave a Comment