(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપીના વીઆઈએ ઓડિટોરીયમ ખાતે તા.20-11-2022ને રવિવારના રોજ સવારે 9 કલાકે વૃષ્ટિ શાહનો આરંગત્રેમ કાર્યક્રમ યોજાશે.
ભરત નાટ્યમ નૃત્યની તાલિમ લીધા બાદ આ નૃત્યમાં નિપૂણતા આવતા નૃત્ય દિક્ષા સ્વરૂપ આરંગેત્રમ કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે. વાપીના વેપારી પ્રિયાંક શાહ અને વૈશાલી શાહની દિકરી વૃષ્ટિએ ભરત નાટ્યમની તાલીમ કલાગુરૂ ભાવનાબેન ભાવસાર પાસેથી મેળવ્યા બાદ આ નૃત્ય દિક્ષા સમારોહ ‘આરંગેત્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે.