December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવાર દ્વારા ધારાસભ્ય અનંત પટેલને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી – વાંસદામાં નોકરી વાંચ્‍છુક ટેટ-ટાટ પાસ યુવાનો દ્વારા વાંસદા – ચીખલીના ધારાસભ્‍ય અનંત પટેલને આવેદનપત્ર પાઠવી જણાવ્‍યું હતું કે, ટીવી-મીડિયા અને ન્‍યૂઝ દ્વારા જાણવા મળ્‍યું છે કે, આગામી દિવસોમાં 26,500 જ્ઞાન સહાયકો અને 5000 ખેલ સહાયકોની ભરતી કરવા શિક્ષણ વિભાગ તૈયારી કરી રહ્યું છે. જો આ પ્રોજેકટ મિશન ઓફ ઍક્‍સેલન્‍સ અમલમાં આવશે તો હજ્‍જારો ઉમેદવારોએ શિક્ષક અભિયોગ્‍યતા કસોટી (ટેટ-ટાટ) પાસ કરેલ છે. તેમના ભવિષ્‍ય અંધકારમય બની જશે. રાત દિવસ મહેનત કરી ટેટ-ટાટ પરીક્ષા પાસ કરી અમોને આ જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી મંજૂર નથી. અસ્‍થાયી શિક્ષક શું બાળકનું પૂર્ણ ઘડતર કરી શકે? જેને પોતાના ભવિષ્‍ય ખબર ના હોય તે બાળકોનું ભવિષ્‍ય નક્કી કરશે? કેટલાક વર્ષોથી રાહ જોવાતી કાયમી ભરતીને બદલે કરાર આધારિત ભરતીમાટે અમે મંજૂર નથી. જ્ઞાન સહાયક યોજના રદ થાય અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે જેથી ગુજરાત રાજ્‍યમાં શિક્ષણની ગુણવત્તા સુધારી શકાય અને સરકાર પાસે બાળકો અને બેરોજગાર ઉમેદવારોના હિત માટેના નિર્ણય ની માંગ કરીએ છીએ.
ધારાસભ્‍ય અનંતભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, કાયમી શિક્ષકોની ભરતીથી જ શિક્ષણ સુધરશે અને ટેટ-ટાટ પાસ યુવાનોની રજૂઆત સંદર્ભે સરકારમાં યોગ્‍ય કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધો.૧૦ બોર્ડમાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો

vartmanpravah

હવે વલસાડ જિલ્લાની વિધાનસભા ચૂંટણી બાદ જાન્‍યુઆરીમાં યોજાનાર ત્રણ નગરપાલિકા ચૂંટણીનું રાજકારણ ગરમાશે

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

vartmanpravah

દમણ જિલ્લામાં કલેક્‍ટર સૌરભ મિશ્રાના હસ્‍તે ‘સંપૂર્ણતા અભિયાન’નું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment