(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.03: વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ચતુર્થી અને ઈદ એ મિલાદની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા વલસાડ જિલ્લા અધિક્ષક શ્રી કરણસિંહ વાઘેલા, વાપી ડીવાયએસપી બી.એન. દવે, વાપી ટાઉન પી.આઇ. કે. જે. રાઠોડ અને ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા. જેમાં એસપી સાહેબે શાંતિ પૂર્વક આ બંને તહેવારો ઉજવાય તેવું માર્ગદર્શન આપ્યું હતું. ડીજેમાં સારા ગીતો વગાડવું અને મંડળના જે તે વોલન્ટિયર બનાવવા અને મંડપમાં ઈલેકટ્રિકની સાવચેતી રાખવી અને હિન્દુ-મુસ્લિમમાં તહેવારોમાં ભાઈચારા બની રહે તેવા સંદેશો આપી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.