July 18, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ સેવા કેન્‍દ્ર દ્વારા મધર ડેરી જૂનાગઢ ગ્રુપના હેડ ઓફ ડિપાર્ટમેન્‍ટ માટે તનાવ મુક્‍ત જીવન અને મેડિટેશન વિષય પર વર્કશોપ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14
દીવ સેવા કેન્‍દ્ર દ્વારા મધર ડેરી જૂનાગઢ ગ્રુપના હેડ ઓફ ડિપાર્ટમેન્‍ટ માટે તનાવ મુક્‍ત જીવન અને મેડિટેશન વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બી.કે. ગીતાબેને તનાવનુંકારણ નિવારણ બતાવતા જણાવ્‍યું હતુંકે ભાગદોડ ભરેલી જીંદગીમાં સ્‍વયં વિષે વિચાર કરવાનો સમય નથી. દરેક પોતાના જીવનમાં સુખ, શાંતિની ઈચ્‍છા રાખે છે પણ એનું બીજા પ્રવિત્રતાને અવગણે છે. સમયની તાતી જરૂર છે મનને સ્‍વચ્‍છ, પવિત્ર અને સકારાત્‍મક રાખવાની જેનો આધાર છે. મેડિટેશન, બે મિનિટ મેડિટેશન દ્વારા શાંતિની અનુભૂતિ પણ કરાવવામાં આવી હતી. કુ. ડો. રૂપાંગી બહેને કસરતના ફાયદા સમજાવીને કસરત પણ કરાવી હતી.
કાર્યક્રમમાં પ્‍લાન્‍ટ હેડ ડો. રામબાબુ સિંઘ, પ્રોડક્‍શન હેડ શ્રી વિશાલ રતન શર્મા, ફાયનાન્‍સ હેડ શ્રી સુબોધ શર્મા, એન્‍જિનિયરીંગ હેડ શ્રી રજનેશ કુમાર, એચ.આર.મેનેજર શ્રી રમેશભાઈ પટેલ, લોજિસ્‍ટિક્‍સ એન્‍ડ સ્‍ટોર હેડ શ્રી નિતેશ પટેલ, ક્‍યુ.એ.હેડ શ્રી શોભિત શ્રીવાસ્‍તવ, એમ.આઈ.એસ.ઈન્‍ચાર્જ શ્રી રાજેશ મિત્તલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસઃ રાજ્ય સરકારના હૈયે વિધવા બહેનોનું હિત વસ્યું, સમાજમાં સન્માન તો આપ્યું સાથે આર્થિક સહાય પણ આપી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા આયોજીત ‘થનગનાટ નવરાત્રી મહોત્‍સવ’માં આવતી કાલે સેલવાસના હવેલી ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓના ઘોડાપૂર ઉમટશેઃ વિશાળ મેદાન પણ ટૂંકુ લાગશે

vartmanpravah

પારડીના ટુકવાડામાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah

ઉમરગામ તાલુકાની સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્‍ત શિક્ષણ અને સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓનીદયનીય હાલત

vartmanpravah

સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દીવની પહેલ હેઠળ વણાંકબારાની સરકારી હાયર સેકન્‍ડરી ગર્લ્‍સ સ્‍કૂલમાં માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલો સમર કેમ્‍પ કાર્યક્રમ

vartmanpravah

કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વાપી મુક્‍તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી

vartmanpravah

Leave a Comment