April 30, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

ફૂડ એન્‍ડ સેફટી વિભાગ દ્વારા તપાસના નામે થતા તાયફા પણ છાના નહીં રહેતા હવે ‘ખેલ’ કરતા અધિકારીઓ-કર્મચારીઓ ઉપર પ્રશાસને કેન્‍દ્રિત કરેલી બાજનજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ફૂડ એન્‍ડ સેફટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારને લઈ ખાવાની અનેએને લગતી ચીજવસ્‍તુઓમાં મિલાવટને રોકવા માટે અને લોકોના જીવન સાથે ચેડાં કરી નકલી મીઠાઈ અને અન્‍ય વસ્‍તુઓ બનાવવાવાળા પર સિકંજો કસવા માટે સેલવાસ શહેર સહિત અન્‍ય વિસ્‍તારની વિવિધ મીઠાઈઓ અને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી દુકાનોમાંથી સેમ્‍પલો લેવામાં આવ્‍યા હતા.
આ બાબતે ફુડ એન્‍ડ સેફટી વિભાગના અધિકારીશ્રીના જણાવ્‍યા અનુસાર તહેવારની સિઝનમાં આ રીતની તપાસ પ્રક્રિયા ચાલુ રહેશે અને જે કોઈપણ મિલાવટવાળી મીઠાઈ અથવા બીજી વસ્‍તુઓ વેચશે અને લોકોના જીવન સાથે રમત રમશે તેઓને વિભાગ દ્વારા છોડવામાં આવશે નહિ એવી ચિમકી ઉચ્‍ચારી હતી.
અત્રે નોંધનીય છે કે, દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગ દ્વારા લોકોના હિતને ધ્‍યાનમાં લઈને ખાદ્યપદાર્થોની વિવિધ દુકાન-સ્‍ટોલમાંથી નમૂના તો લેવામાં આવે છે પરંતુ તેનો રિપોર્ટ શું છે તે જાહેર કરવામાં આવતો નથી. ફૂડ એન્‍ડ સેફટી વિભાગ દ્વારા વિવિધ હોટલ, રેસ્‍ટોરન્‍ટ, ખાદ્ય ચીજવસ્‍તુઓની દુકાનો વગેરેમાં તપાસના નામે થતા તાયફા પણ હવે લોકો માટે છાના રહ્યા નથી. સંઘપ્રદેશ પ્રશાસન પણ કેટલાક અધિકારીઓ ઉપર બારીક નજર નાખીને બેઠું હોવાની પણ માહિતી મળી રહી છે.

Related posts

વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થશે

vartmanpravah

ધરમપુરના સિદુમ્‍બર ગામે માન નદીના બ્રિજ ઉપરથી જીવના જોખમે નિકળી અંતિમયાત્રા

vartmanpravah

વલસાડ એન્જીનીયરિંગ કોલેજના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલ ઇ. વી. એમ.ના સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા નમો અને જિયો એપ બાબતની તેમની અરજી સંદભેં  જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષીપ્રા આગ્રેની સ્પષ્ટતા

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ઈન્‍ડસ્‍ટ્રીઝની ઓફીસમાં જુગાર રમતા 7 ઉદ્યોગપતિ-વેપારી ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના નવા પ્રભારી તરીકે દુષ્‍યંતભાઈ પટેલની નિયુક્‍તિઃ સંગઠનમાં નવી ગતિ-ઊર્જા આવવાની સંભાવના

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

Leave a Comment