Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

ફૂડ એન્‍ડ સેફટી વિભાગ દ્વારા તપાસના નામે થતા તાયફા પણ છાના નહીં રહેતા હવે ‘ખેલ’ કરતા અધિકારીઓ-કર્મચારીઓ ઉપર પ્રશાસને કેન્‍દ્રિત કરેલી બાજનજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ફૂડ એન્‍ડ સેફટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારને લઈ ખાવાની અનેએને લગતી ચીજવસ્‍તુઓમાં મિલાવટને રોકવા માટે અને લોકોના જીવન સાથે ચેડાં કરી નકલી મીઠાઈ અને અન્‍ય વસ્‍તુઓ બનાવવાવાળા પર સિકંજો કસવા માટે સેલવાસ શહેર સહિત અન્‍ય વિસ્‍તારની વિવિધ મીઠાઈઓ અને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી દુકાનોમાંથી સેમ્‍પલો લેવામાં આવ્‍યા હતા.
આ બાબતે ફુડ એન્‍ડ સેફટી વિભાગના અધિકારીશ્રીના જણાવ્‍યા અનુસાર તહેવારની સિઝનમાં આ રીતની તપાસ પ્રક્રિયા ચાલુ રહેશે અને જે કોઈપણ મિલાવટવાળી મીઠાઈ અથવા બીજી વસ્‍તુઓ વેચશે અને લોકોના જીવન સાથે રમત રમશે તેઓને વિભાગ દ્વારા છોડવામાં આવશે નહિ એવી ચિમકી ઉચ્‍ચારી હતી.
અત્રે નોંધનીય છે કે, દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગ દ્વારા લોકોના હિતને ધ્‍યાનમાં લઈને ખાદ્યપદાર્થોની વિવિધ દુકાન-સ્‍ટોલમાંથી નમૂના તો લેવામાં આવે છે પરંતુ તેનો રિપોર્ટ શું છે તે જાહેર કરવામાં આવતો નથી. ફૂડ એન્‍ડ સેફટી વિભાગ દ્વારા વિવિધ હોટલ, રેસ્‍ટોરન્‍ટ, ખાદ્ય ચીજવસ્‍તુઓની દુકાનો વગેરેમાં તપાસના નામે થતા તાયફા પણ હવે લોકો માટે છાના રહ્યા નથી. સંઘપ્રદેશ પ્રશાસન પણ કેટલાક અધિકારીઓ ઉપર બારીક નજર નાખીને બેઠું હોવાની પણ માહિતી મળી રહી છે.

Related posts

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજ ખાતે MODI@20: Dreams Meet Delivery પુસ્‍તક પર સેમીનાર યોજાયો

vartmanpravah

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

સેલવાસ-દમણની નર્સિંગ કોલેજની પાસ થયેલી તમામ 108 વિદ્યાર્થીનીઓનું પ્‍લેસમેન્‍ટ થતાં ઝળકેલી ખુશી

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી

vartmanpravah

દાનહમાં કંપની સંચાલકોની ભારે લાપરવાહીનો ભોગ બની રહ્યા છે નિર્દોષ કામદારો

vartmanpravah

Leave a Comment