July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ દિલ્‍હી ખાતે આયોજીત રાષ્‍ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ઝળકાવેલું કૌવત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : દાદરા નગર હવેલીના નરોલી ગામની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ નવી દિલ્‍હીના રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે આયોજીત નેશનલ લેવલ વિજ્ઞાન સેમિનારમાં ભાગ લઈ વિજેતા બની સંઘપ્રદેશનું ગૌરવ વધાર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ નવી દિલ્‍હીના રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે આયોજીત રાષ્‍ટ્રીય સ્‍તરના વિજ્ઞાન સેમિનારમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહના નરોલી ગામની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણના 10ના વિદ્યાર્થી એન્‍ડરસન અબ્રાહમ રિચર્ડએ પણ ભાગ લીધો હતો. જેમાં તેમનો વિષય હતો ‘‘શ્રી અન્ન એક મૂલ્‍યવર્ધિત પૌષ્ટિક અથવા ભ્રાંતિ આહાર?” આ સ્‍પર્ધામાં વિવિધ કૃતિઓ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદમાં 36 સ્‍પર્ધકો ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં દાનહના વિદ્યાર્થી એન્‍ડરસન અબ્રાહમ રિચર્ડએ ત્રીજું સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. સંઘપ્રદેશ દાનહના વિદ્યાર્થી એન્‍ડરસન અબ્રાહમ રિચર્ડ જેઓએ રાષ્ટ્રીય સ્‍તરના વિજ્ઞાન સેમિનારની મંજીલ સુધી પહોંચવા માટે શાળા કક્ષા, જિલ્લા સ્‍તર અને રાજ્‍ય સ્‍તરની સ્‍પર્ધાઓમાં ભાગ લઈ રાષ્‍ટ્રીય સ્‍તર સુધી પહોંચ્‍યા છે.
આસેમિનારનો મુખ્‍ય વિષય હતો ‘‘સુપર ફુડ અને ડાયટ ફેડ” જેમાં દાનહની નરોલી શાળાના વિદ્યાર્થીએ કૌવત ઝળકાવ્‍યું હતું અને શાળા, ગામ અને પ્રદેશને ગૌરવ અપાવ્‍યું છે. આ સિદ્ધિ સંઘપ્રદેશના તમામ વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાનો વિષય બન્‍યો છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર વતી એન્‍ડરસનને શુભકામના આપવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના કવરત્તીમાં સ્‍થાનિક લોકોએ વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડને બિગ સ્‍ક્રીન ઉપરસાંભળ્‍યો

vartmanpravah

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

આજે હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-રેલી પ્રદર્શન યોજશે

vartmanpravah

વાપી ગુંજનમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી. નિતાબેન મહાલાએ ઈમાનદારીની મિશાલ ઉજાગર કરી

vartmanpravah

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

vartmanpravah

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment