Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ દિલ્‍હી ખાતે આયોજીત રાષ્‍ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ઝળકાવેલું કૌવત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : દાદરા નગર હવેલીના નરોલી ગામની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ નવી દિલ્‍હીના રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે આયોજીત નેશનલ લેવલ વિજ્ઞાન સેમિનારમાં ભાગ લઈ વિજેતા બની સંઘપ્રદેશનું ગૌરવ વધાર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ નવી દિલ્‍હીના રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે આયોજીત રાષ્‍ટ્રીય સ્‍તરના વિજ્ઞાન સેમિનારમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહના નરોલી ગામની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણના 10ના વિદ્યાર્થી એન્‍ડરસન અબ્રાહમ રિચર્ડએ પણ ભાગ લીધો હતો. જેમાં તેમનો વિષય હતો ‘‘શ્રી અન્ન એક મૂલ્‍યવર્ધિત પૌષ્ટિક અથવા ભ્રાંતિ આહાર?” આ સ્‍પર્ધામાં વિવિધ કૃતિઓ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદમાં 36 સ્‍પર્ધકો ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં દાનહના વિદ્યાર્થી એન્‍ડરસન અબ્રાહમ રિચર્ડએ ત્રીજું સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. સંઘપ્રદેશ દાનહના વિદ્યાર્થી એન્‍ડરસન અબ્રાહમ રિચર્ડ જેઓએ રાષ્ટ્રીય સ્‍તરના વિજ્ઞાન સેમિનારની મંજીલ સુધી પહોંચવા માટે શાળા કક્ષા, જિલ્લા સ્‍તર અને રાજ્‍ય સ્‍તરની સ્‍પર્ધાઓમાં ભાગ લઈ રાષ્‍ટ્રીય સ્‍તર સુધી પહોંચ્‍યા છે.
આસેમિનારનો મુખ્‍ય વિષય હતો ‘‘સુપર ફુડ અને ડાયટ ફેડ” જેમાં દાનહની નરોલી શાળાના વિદ્યાર્થીએ કૌવત ઝળકાવ્‍યું હતું અને શાળા, ગામ અને પ્રદેશને ગૌરવ અપાવ્‍યું છે. આ સિદ્ધિ સંઘપ્રદેશના તમામ વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાનો વિષય બન્‍યો છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર વતી એન્‍ડરસનને શુભકામના આપવામાં આવી હતી.

Related posts

વલસાડમાં ડુપ્‍લીકેટ તેલનો કારોબાર ઝડપાયો : શાકભાજી માર્કેટમાં ચાર દુકાનોમાંથી ડુપ્‍લીકેટ બ્રાન્‍ડેડ તેલના ડબ્‍બા મળ્‍યા

vartmanpravah

દમણ : પાવરગ્રીડ દ્વારા ઊર્જા સંરક્ષણ પર રાજ્‍ય કક્ષાની ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડમાં સુધારાની કામગીરીમાં છેલ્લા બે માસથી મહત્તમ રિજેક્‍શન આવતા અરજદારોને ધક્કા ખાવાની નોબત

vartmanpravah

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

vartmanpravah

ધરમપુર તાન નદીમાં ન્‍હાવા પડેલા 14 વર્ષિય કિશોર ડૂબી જતા કરૂણ મોત: ગમગીની છવાઈ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

vartmanpravah

Leave a Comment