Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદી પરનો કોઝવે કમ ચેકડેમ જર્જરિત

કોઝવે કમ ચેકડેમમાં પાણી સંગ્રહ કરવા માટે લગાવવામાં આવેલા તમામ દરબાજા ગાયબ

186 મીટર લંબાઈ ધરાવતો કોઝવે ચોમાસામાં અવાર-નવાર ડૂબી જતો હોવાથી દોણજાના હાથી નગર અને નાની ખાડી બે ફળિયા ગામથી વિખૂટા પડી જતા હોય છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદીનો પચાસેક વર્ષ જૂનો ડૂબાઉ ચેકડેમ કમ કોઝવે પર ચોમાસામાં અવારનવાર પૂરના પાણી ફરી વળતા હોય છે જેને લઈને દોણજા ગામના હાથીનગર અને નાની ખાડી એમ બે ફળિયાના 750થી વધુની વસ્‍તીને હાલાકીનો પાર રહેતો નથી. દોણજાના બે ફળિયા અવારનવાર ચોમાસા દરમિયાન વીખૂટા પડી જતા આ ફળિયાના લોકોએ ગામમાં કે તાલુકા મથકે પહોંચવું હોય તો વાંદરવેલા કે હરણગામથી 10 થી 15 કિલોમીટરનો લાંબો ચકરાવો કાપવો પડતો હોય છે. આ ઉપરાંત ચોમાસામાં ઘણીવાર તો એક દિવસથી વધુ દિવસો પણ આ ડૂબાઉ કોઝવે પાણીમાં ગરક રહેતો હોવાથી આ વિસ્‍તારના વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થતી હોય છે, પશુપાલકો ડેરીમાં દૂધ ભરવા પણ આવી શકતા નથી. આ ઉપરાંત કોઝવે ડૂબેલો હોય તેવા સંજોગોમાં કોઈ બીમારપડે તો હાલાકીનો પાર રહેતો નથી.
દોણજાનો આ હાથીનગર કોઝવે વર્ષો જૂનો હોય લોકોની સલામતી માટે રેલિંગ પણ નથી અને કોન્‍ક્રીટની સપાટી પણ ઉખડી જવા પામી છે અને રેતી કપચી જેવું માલસામાન બહાર આવી જવા પામ્‍યું છે. આમ આ કોઝવે લોકો માટે જોખમી પણ થઈ રહ્યો છે. દોણજા ગામે કાવેરી નદી પર ડુબાઉ કોઝવેના સ્‍થાને નવા પૂરતી ઊંચાઈવાળા પૂલની દરખાસ્‍ત માર્ગ મકાન વિભાગમાં ધૂળ ખાઈ રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ માર્ગ મકાન દ્વારા વર્ષ 2017-18માં 186 મીટર જેટલી લંબાઈના નવા પુલ માટે રૂા. 8.50 કરોડની દરખાસ્‍ત કરવામાં આવી હતી. પરંતુ આ દરખાસ્‍તને અભરાઈએ ચઢાવી દેવાતા આજ દિન સુધી નવા પુલના આ કામને મંજૂરી મળી નથી ત્‍યારે આઝાદીના આટલા વર્ષો બાદ પણ દોણજાના હાથીનગર, નાનીખાડી વિસ્‍તારના લોકોની સમસ્‍યા દૂર કરવા માટે કેટલા વર્ષ હજુ લાગશે તે જોવું રહ્યું.

Related posts

કીકરલાથી ચાર જેટલી મોટર સાયકલો પર દારૂનો જથ્‍થો પહોંચતો થાય તે પહેલા પોલીસ ત્રાટકી

vartmanpravah

ચીખલી તાલુકામાં બે અલગ અલગ અકસ્‍માતમાં બે ના મોત નિપજ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં સામાન્‍ય સભા સાથે હોલ અને જન વિશ્રામ કુટીરનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

લઘુમતી સમાજના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેન કેરસી દેબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ-જનજાતિય ગૌરવ સપ્તાહના ઉપલક્ષમાં દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલ-ઈંગ્‍લિશ મીડિયમમાં જનજાતિય સમુદાયની સંસ્‍કૃતિ ઇતિહાસ અને પ્રભાવના વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

Leave a Comment