March 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણઃ કચીગામની હાયર સેકેન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થીઓએ કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના અધિકારીઓએ કાયદો અને વ્‍યવસ્‍થાની બાબતમાં પોલીસતંત્ર દ્વારા લેવાતા વિવિધ અગમચેતીના પગલાંની પણ આપેલી સમજણ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
આજે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામ દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન ‘બેટીસુરક્ષા- બેટી શિક્ષા ૅ કાર્યક્રમ અંતર્ગત કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન કડૈયા, નાની દમણ ખાતે શુભેચ્‍છા મુલાકાત યોજવામાં આવી હતી. જેમાં પી.આઇ. શ્રી સોહીલ જીવાણી અને પી.એસ.આઈ. શ્રીમતી સેજલ પટેલ તેમજ તેમના સ્‍ટાફ દ્વારા વિદ્યાર્થીઓને કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે પોલીસ દ્વારા લેવાતા અગમચેતીના પગલાં સહિત આરોપીઓની ધરપકડ માટે તૈયાર કરવામાં આવતી પ્રક્રિયાની પણ રસાળ શૈલીમાં સમજણ આપવામાં આવી હતી.
દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.આઈ. શ્રી સોહિલ જીવાણીના નેતૃત્‍વમાં વિદ્યાર્થીઓને પોલીસ કર્મીના વિવિધ સાધનો તેમજ એફ.આઈ.આર કઈ રીતે કરવામાં આવે છે, આરોપીને કેવી રીતે પકડી શકાય, પોલીસકર્મીઓને સુરક્ષા માટે કયા સાધનો આપવામાં આવે છે, આરોપીઓ માટેની જેલ તેમના રેકોર્ડ કઈ રીતે સાચવવામાં આવે, તેમજ સમાજની સુરક્ષા માટે પોલીસ કર્મીઓ કઈ રીતે કાર્ય કરે છે અને સમાજની રક્ષા કરે છે એ તમામ બાબતો અંગે શાળાના વિદ્યાર્થીઓને સચોટ સમજૂતી આપવામાં આવી હતી અને કાયદા-પાલનની પણ સમજૂતી અપાઈ હતી.
આ શુભેચ્‍છા મુલાકાતને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી અશ્વિન આર. પટેલ, ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ કાર્યક્રમના ચેરમેન શ્રીમતી દેવલબેન પટેલ, વાઇસ ચેરમેન શ્રીમતી વંદના પટેલ તથા શાળાનાતમામ શિક્ષકમિત્રોનો વિશેષ ફાળો રહ્યો હતો.

Related posts

અતિવૃષ્‍ટિને લઈ વલસાડ, ધરમપુર, કપરાડા તાલુકાની સ્‍કૂલ-કોલેજ સોમવારે બંધ રહી

vartmanpravah

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

vartmanpravah

સેલવાસની હવેલીઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ઈન્‍ટ્રા કોલેજ મૂટ કોર્ટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ કંપનીમાંથી થયેલ ગેસ લીકેજનો મામલો જી.પી.સી.બી. વડી કચેરીમાં પહોંચ્‍યો

vartmanpravah

રાજ્‍યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્‍યક્ષસ્‍થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment