April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

દમણ ફિશરીઝ સોસાયટીના પ્રમુખ ગોપાલદાદાના નેતૃત્‍વમાં નાની દમણ નવી જેટીના નિર્માણથી માછી સમાજમાં ખુશી : માછી સમાજના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

નાની દમણ નવી જેટીના કિનારે બનનારું ભવ્‍ય સમુદ્ર નારાયણ મંદિર : દરરોજ મહાઆરતીનો સંકલ્‍પ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
આજરોજ દમણ ફિશરીઝ સોસાયટીના ચેરમેન શ્રી ગોપાલભાઈ ટંડેલ (દાદા)ના નેતૃત્‍વમાં માછીમાર પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન માછી સમાજના ચેરમેન શ્રી ગોપાલભાઈ ટંડેલ(દાદા) સહિત સભ્‍યોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો નવી જેટીના નિર્માણ માટે મંજૂરી અને સમુદ્ર નારાયણ મંદિર માટે જગા ફાળવી આપવા બદલ પુષ્‍પગુચ્‍છ આપી આભાર પ્રગટ કર્યો હતો.
મુલાકાત દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે માછીમારો માટે સાંઈ બાબા મંદિરની પાછળ જેટી બનાવવામાં આવશે. જેથી માછીમારો પોતાની બોટ પાર્કિંગ કરી શકશે. મંદિર નિર્માણ માટે જમીન ફાળવણી બાબતે ચર્ચા કરતા પ્રશાસકશ્રીએ જણાવ્‍યું હતું કે,ભવ્‍ય મંદિરનાનિર્માણ બાદ અહી રોજ આરતીનું આયોજન કરવા તેમણે ઉપસ્‍થિત સભ્‍યોને વિનંતી કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાની દમણ બીચ રોડ અને તેની સાથે જોડાયેલા પ્રોજેક્‍ટો અંગે જાણકારી આપી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કિલ્લાની બાજુમાં ખાણીપીણીના સ્‍ટોલ શરૂ કરવા અંગે પણ માહિતી આપી હતી.

Related posts

નવસારી ખાતે કૃષિ કાર્યક્રમ યોજાયો: નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે અનુરોધ કર્યો

vartmanpravah

વલસાડમાં સિંધી સમાજ દ્વારા શ્રી જુલેલાલ ભગવાનની 1075 મી જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબ દ્વારા બે દિવસીય વુમન્‍સ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ કરાયો : કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah

સંઘપ્રદેશમાંપી.એમ. વિશ્વકર્મા યોજનાનો પ્રશાસકશ્રીએ કરાવેલો આરંભ

vartmanpravah

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

vartmanpravah

Leave a Comment