October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ગણદેવીના કેસલી ગામથી પસાર થતી કેનાલમાં ઠેર-ઠેર તિરાડો પડતાં તકલાદી કામોની ખુલેલી પોલ

તસવીર અહેવાલ- દિપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.27
સરકારના લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે સારી કામગીરી માટે ફાળવેલ લાખો રૂપિયા તકલાદી કામના લીધે નહેરના પાણી સાથે જ લાખો રૂપિયા વહી ગયા હોવાની પ્રતીતિ થવાની સ્‍થિતિ સર્જાઈ છે.
ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહે અને પાણીનો બગાડ નહી થાય તે માટે સરકાર દ્વારા તબક્કાવાર લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે નહેરને સિમેન્‍ટ કોન્‍ક્રીટવાળી પાણીનીનહેર બનાવવામાં આવી રહી છે.પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના પાપે ખેડૂતોને લાભ થવાના સ્‍થાને માત્ર આ લાંચિયા અધિકારીઓ અને એજન્‍સીને જ થઈ રહ્યો છે.
ગણદેવી તાલુકાના કેસલી ગામેથી પસાર થતી માઇનોર કેનાલનું ટૂંકા સમયગાળામાં જ લાખો રૂપિયાના ખર્ચે નવિનીકરણ કરાયું હતું. આ કેનાલની કોન્‍ક્રીટની સપાટીમાં ટૂંકા સમય ગાળામાં જ ઠેર – ઠેર મોટી તિરાડો પડવા પામી છે. કેટલીક જગ્‍યાએ તો કોન્‍ક્રીટમાં રીતસરના બાંકોરા પડી જવા પામ્‍યા છે અને કપચી-રેતી બહાર જોવા મળી રહી છે.
ખરેખર સરકારના લાખો રૂપિયાનો આ રીત વેડફાટ થતો હોય તેવા સંજોગોમાં માપપોથીમાં માપની નોંધ કરનાર સુપર વિઝનના જવાબદાર મદદનીશ ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ ભય વિનાના ભ્રષ્ટાચારના શાસનમાં આવી કોઈ કાર્યવાહી થતી નથી. જેને પગલે લાંચિયા અધિકારીઓ બેફામ બની ભ્રષ્ટાચાર આચરતા હોય એ નહેરનું કામ દ્વારા સમજાય છે. અંબિકા સબ ડિવિઝનના અધિકારી આવી બાબતે ગેરેન્‍ટી પિરિયડની કેસેટ વગાડી પોતાની બેદરકારી છુપાવી રહ્યા છે, ત્‍યારે સમગ્ર બાબતે તપાસ થાય અને જવાબદારો સામે પગલાં લેવાઈ તે જરૂરી છે.

Related posts

વાપી હાઈવે પર પાલિકા પાઈપના સમારકામ દરમિયાન 7 ફૂટ લાંબો અજગર નીકળ્‍યોઃ સફળ રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

ખેલો ઇન્‍ડિયા રાઇઝિંગ ટેલેન્‍ટ આઇડેન્‍ટિફિકેશન હેઠળ યુવાનો માટે  દમણમાં રમત-ગમત પ્રતિભા મૂલ્‍યાંકન કાર્યક્રમ સંપન્નઃ પ્રદેશના 1022 યુવાનોએ લીધેલો ભાગ

vartmanpravah

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરીયા ખાતે કેરીની વિવિધ જાતોનું ૧૮ અને ૧૯ મી ના રોજ પ્રદર્શન યોજાશે

vartmanpravah

અમરેલી જિલ્લા ભાજપ આગેવાન ડો. ભરતભાઈ કાનાબારના નેતૃત્‍વમાં પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લાની લીધેલી મુલાકાતઃ વિકાસ નિહાળી દિગ્‍મૂઢ

vartmanpravah

સરીગામની શાળાઓમાં યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રવેશોત્‍સવની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment