April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ દ્વારા ચણોદ પાસે 35 વર્ષ જુની પાણીની ટાંકી કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી મિનિટોમાં ધરાશાયી કરાઈ

ચુસ્‍ત સુરક્ષા વ્‍યવસ્‍થા વચ્‍ચે ઓપરેશન સફળ રહ્યું : નવી ટાંકી બનાવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.24: વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં 35 વર્ષ જુની ટાંકીને નોટિફાઈડ દ્વારા ધરાશાયી કરવામાં આવી હતી. 20 લાખ લીટરની ક્ષમતા વાળી આ પાણીની ટાંકીને બુધવારે સાંજે કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી સંપુર્ણ સુરક્ષા સાથે ટાંકીને ધરાશાયી કરવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ વાપી જીઆઈડીસી ચણોદ નજીક સેલવાસ રોડ વિસ્‍તારમાં એશીયન કેરેન નામની કંપની પાસે નોટિફાઈડની 20 લાખ લીટર પાણીની ટાંકી આવેલી છે. 35 વર્ષ જુની આ ટાંકીને તોડી પાડવાની કામગીરી બુધવારે સાંજે હાથ ધરાઈ હતી. ટાંકી તોડવા માટે ખાસ એજન્‍સીને કામ સોંપાયું હતું. એજન્‍સીએ કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી મિનિટોમાં ટાંકીને ધરાશાયી કરી દીધી હતી. કામગીરી વ્‍યવસ્‍થિત પાર પાડવા માટે સુરક્ષાની તમામ બાબતો ધ્‍યાને લેવાઈ હતી. પોલીસ, જીઈબી સહિત લાગતી વળગતી એજન્‍સી સાથે સંકલન કરવામાં આવ્‍યું હતું. સાંજે સેલવાસ રોડ પરનો ટ્રાફિક રોકી દેવાયો હતો તેમજ વીજ પુરવઠો પણ 10 મિનિટ માટે બંધ કરી દેવાયો હતો. ટાંકી ધરાશાયી કરતા સમયે ધુળની ડમરીઓના ગોટેગોટા ઉડયા હતા તે માટે જરૂરી તમામ તકેદારી રાખવામાં આવી હતી. આ વિસ્‍તારમાં આ ટાંકીથી પાણી પુરવઠો અપાતો હતો તે પુરવઠો અન્‍ય ટાંકી દ્વારા આપવામાં આવશે. અન્‍ય ટાંકી અને પાઈપ લાઈન ચાલું રહેશે.પર્યાપ્ત પ્રેશરથી પાણી પુરવઠો મળતો રહેશે. તોડી પડાયેલ ટાંકીના સ્‍થાને નવી ટાંકી બનાવાશે. જેની મંજુરી મળી ગઈ છે.

Related posts

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

દાનહ ખાનવેલ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીઓ સાથે ગેર વર્તણુક કરતોવિડીયો વાયરલ થતાં સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

વલસાડ પારનેરા ડુંગર સ્‍થિત રામેશ્વર મહાદેવના મંદિર રિપેરીંગ કામે આવતા મજુરે ચોરી કરી

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં દિવાળી પૂર્વે તલાટીઓની થયેલી બદલીઓમાં કેટલાક વગદારોને આજુબાજુ પસંદગીની જગ્‍યાએ નિમણૂંકના મુદ્દે શરૂ થઈ રહેલો કચવાટ

vartmanpravah

Leave a Comment