(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૪ઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૫/૪/૨૦૨૨ના રોજ સાંજે ૬-૩૦ કલાકે વી.આઇ.એ. મેદાન, વાપી ખાતે ૧૨૫થી વધુ કલાકારો દ્વારા સંગીત, નૃત્ય અને નાટયનો જાજરમાન જલસો યોજાશે. જેમાં દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટીમીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પ્રજાજનોને ઉપસ્થિત રહેવા જિલ્લા રમતગમત અધિકારી એમ.એમ.પટેલ દ્વારા જણાવાયું છે.