July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04
સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે કેવડિયાકોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવી હતી. જે બાબતે આજે ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખશ્રી સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોનીના નાયબ કલેકટર શ્રી નિલેશ દુબે દ્વારા આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવી હતી કે આદીવાસી સમાજને પહેલા ખાવાનું મળતું ન હતું..બહાર બેસતા હતા…ચડી પહેરતા થયા.. જંગલની જડીબુટ્ટી ખાયને જીવે છે. આ મુજબના અપશબ્‍દો પોતાના સીઆઈએસએફ અધિકારી સાથે ફોન ઉપર આદિવાસી સમાજ માટે ઉચ્‍ચારણ કરતાં હતાં અને આ વાતચીતનો ઓડીયો-સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયાં બાદ સમગ્ર ગુજરાત રાજ્‍યના આદિવાસીઓનો આક્રોશની લહેર ગામે ગામ વ્‍યાપક બની હતી. આથી આવા સામાજિક ભેદભાવ ધરાવતા નિવેદનો કરનાર અધિકારી વિરુદ્ધ એટ્રોસિટી એકટ અંતર્ગત કાર્યવાહી કરી તેમને સરકારી જવાબદારી યુકત નોકરીમાંથી મૂકત કરી દેવા જોઈએ. જેથી કરીને જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો અને અધિકારીઓ સમજી જાય..કે આદીવાસી સમાજ જળ જંગલ જમીનનો માલિક છે. આ દેશનોમૂળ માલિક છે.તેમને ભારતના બંધારણ દ્વારા અપાયેલા હકો અનુસાર કોઈ પણ વ્‍યક્‍તિ અથવા અધિકારી તેમની લાગણીઓ સાથે છેડછાડ કરી શકશે નહીં.આ દેશમાં વ્‍યક્‍તિ, સંસ્‍થા, વહીવટીતંત્ર, સરકાર બધું ભારતના બંધારણને આધીન છે. આ ઉપરોકત સંવેદનશીલ બાબતની વેદના આવેદનપત્ર મારફતે વલસાડ જીલ્લા કલેકટરશ્રીને જણાવી આ મુદ્દે કલેકટરશ્રી આદીવાસી સમાજની લાગણી સરકારશ્રીને પહોંચાડે એવી રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાદરા નગર હવેલીનું 57.36 ટકા પરિણામ

vartmanpravah

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે હાઈવે પર રાત્રિ દરમિયાન બ્રિજ ડીવાઈડર નજરે ન ચઢતા વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે

vartmanpravah

દીવના ઘોઘલામાં વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયેલા પોસ્‍ટમેન ડાહ્યાભાઈ પરમારને આપવામાં આવ્‍યું નિવૃતિ વિદાયમાન

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં અતિશય વરસાદ પડતા 20 જેટલા માર્ગો બંધ કરાયા

vartmanpravah

Leave a Comment