(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.04
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેવડિયાકોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્દો બોલી ટીપ્પણી કરવામાં આવી હતી. જે બાબતે આજે ભીલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખશ્રી સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્વમાં વલસાડ જીલ્લા કલેક્ટરશ્રીની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોનીના નાયબ કલેકટર શ્રી નિલેશ દુબે દ્વારા આદિવાસી સમાજ વિશે જે અપશબ્દો બોલી ટીપ્પણી કરવામાં આવી હતી કે આદીવાસી સમાજને પહેલા ખાવાનું મળતું ન હતું..બહાર બેસતા હતા…ચડી પહેરતા થયા.. જંગલની જડીબુટ્ટી ખાયને જીવે છે. આ મુજબના અપશબ્દો પોતાના સીઆઈએસએફ અધિકારી સાથે ફોન ઉપર આદિવાસી સમાજ માટે ઉચ્ચારણ કરતાં હતાં અને આ વાતચીતનો ઓડીયો-સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયાં બાદ સમગ્ર ગુજરાત રાજ્યના આદિવાસીઓનો આક્રોશની લહેર ગામે ગામ વ્યાપક બની હતી. આથી આવા સામાજિક ભેદભાવ ધરાવતા નિવેદનો કરનાર અધિકારી વિરુદ્ધ એટ્રોસિટી એકટ અંતર્ગત કાર્યવાહી કરી તેમને સરકારી જવાબદારી યુકત નોકરીમાંથી મૂકત કરી દેવા જોઈએ. જેથી કરીને જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો અને અધિકારીઓ સમજી જાય..કે આદીવાસી સમાજ જળ જંગલ જમીનનો માલિક છે. આ દેશનોમૂળ માલિક છે.તેમને ભારતના બંધારણ દ્વારા અપાયેલા હકો અનુસાર કોઈ પણ વ્યક્તિ અથવા અધિકારી તેમની લાગણીઓ સાથે છેડછાડ કરી શકશે નહીં.આ દેશમાં વ્યક્તિ, સંસ્થા, વહીવટીતંત્ર, સરકાર બધું ભારતના બંધારણને આધીન છે. આ ઉપરોકત સંવેદનશીલ બાબતની વેદના આવેદનપત્ર મારફતે વલસાડ જીલ્લા કલેકટરશ્રીને જણાવી આ મુદ્દે કલેકટરશ્રી આદીવાસી સમાજની લાગણી સરકારશ્રીને પહોંચાડે એવી રજૂઆત કરવામાં આવી હતી.