(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ/આસામ, તા.04
ભારતીય જનતા પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્યના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે પોતાની ત્રણ દિવસીય આસામની મુલાકાતે દરમિયાન આજે બીજા દિવસે ગુવહાટી આસામમાં માં કામાખ્યા માતાના દર્શન કરી આસામ રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી જગદીશ મુખી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં તેમની સાથે પ્રદેશ ઓબીસીના મોર્ચાના ઉપાધ્યક્ષ શ્રીમતી ભનિતા મેશી, મીડિયા કન્વીનર શ્રી દાદુ મોન અને શ્રી ઋતિક ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.