April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું

યથાવત સ્‍થિતિ નહીં રખાય તો ચૂંટણી બહિષ્‍કારનું ગ્રામજનોએ આહવાન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18
આગામી ડિસેમ્‍બર 2021માં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે પૂવર્ર બહાર પડાયેલ મતદાર યાદીમાં કપરાડાના ટુકવાડા ગામે મોટો છબરડો બહાર આવ્‍યો છે. આ ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો સમાવેશ ઘાડવી ગામમાં કરી દેવામાં આવતા સ્‍થાનિક મતદારોમાં રોષ જોવા મળ્‍યો હતો. આજે ગુરૂવારે ગામના કોંગ્રેસ આગેવાનો દ્વારા વલસાડ કલેક્‍ટરમાં આવેદનપત્ર પાઠવી ચૂંટણી કાર્યાલય દ્વારા થયેલ છબરડાનો વિરોધ કરી જે તે મતદારો સાગળ ફળીયાના છે તેમને યથાવત રાખવાના સૂત્રોચ્‍ચાર સાથે માંગણી કરી હતી.
કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળીયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશ મતદાર યાદી થકી જાહેર થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી મતદાર યાદીના ફેરફારનો વિરોધ કર્યો હતો. માંગણી કરી હતી કે જો સ્‍થિતિ યથાવત નહી કરાય તો આગામી ચૂંટણીનો ગ્રામજનો બહિષ્‍કાર કરશે તેવી ચિમકી પણ ઉચ્‍ચારી હતી.

Related posts

ચોથું નોરતું- શ્રી ખોડલધામ આયોજિત નવરાત્રિ મહોત્‍સવના ચારેય ઝોનમાં ખૈલાયાઓથી ગ્રાઉન્‍ડ ભરચક્ક

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા મેરેથોન દોડ હરિફાઈનું કરાયેલું આયોજન

vartmanpravah

રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં ભાજપને મળેલા ઐતિહાસિક પ્રચંડ વિજય બદલ: દમણમાં પ્રદેશ ભાજપ દ્વારા મનાવવામાં આવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment