October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું

યથાવત સ્‍થિતિ નહીં રખાય તો ચૂંટણી બહિષ્‍કારનું ગ્રામજનોએ આહવાન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18
આગામી ડિસેમ્‍બર 2021માં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે પૂવર્ર બહાર પડાયેલ મતદાર યાદીમાં કપરાડાના ટુકવાડા ગામે મોટો છબરડો બહાર આવ્‍યો છે. આ ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો સમાવેશ ઘાડવી ગામમાં કરી દેવામાં આવતા સ્‍થાનિક મતદારોમાં રોષ જોવા મળ્‍યો હતો. આજે ગુરૂવારે ગામના કોંગ્રેસ આગેવાનો દ્વારા વલસાડ કલેક્‍ટરમાં આવેદનપત્ર પાઠવી ચૂંટણી કાર્યાલય દ્વારા થયેલ છબરડાનો વિરોધ કરી જે તે મતદારો સાગળ ફળીયાના છે તેમને યથાવત રાખવાના સૂત્રોચ્‍ચાર સાથે માંગણી કરી હતી.
કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળીયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશ મતદાર યાદી થકી જાહેર થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી મતદાર યાદીના ફેરફારનો વિરોધ કર્યો હતો. માંગણી કરી હતી કે જો સ્‍થિતિ યથાવત નહી કરાય તો આગામી ચૂંટણીનો ગ્રામજનો બહિષ્‍કાર કરશે તેવી ચિમકી પણ ઉચ્‍ચારી હતી.

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દમણથી દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરીનો પર્દાફાશ બોટ બગડતા ઉદવાડા દરિયા કિનારે 6 આરોપીની ધરપકડ કરી પારડી પોલીસે દારૂ અને બે બોટ મળી રૂા.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

વલસાડમાં વિજ્‍યા દશમી પર્વએ રાવણના પુતળાનું કરાયેલું દહન

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment