April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બીજા દિવસે પણગેરકાયદેસર દબાણો દુર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી કલેકટરના દિશાનિર્દેશ અનુસાર સેલવાસ અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીન અને કોતર નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી બે દિવસથી ચાલી રહી છે.
બીજા દિવસે પણ સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા નરોલી પટેલાદના અથાલ ગામે અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના વાસોણા અને પાટી ગામે ગેરકાયદેસર બાંધકામોને દુર કરવામા આવ્‍યા હતા.
પ્રશાસન દ્વારા જનતાને અનુરોધ કરવામા આવ્‍યો છે કે કોઈએ પણ સરકારી જમીન,સરકારી કોતર અથવા નહેર પર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તો પોતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને દુર કરવામા આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં બાવીસા ફળિયા સહિત બીજા વિસ્‍તારોમા પણ નહેર પર આડેધડ ગેરકાયદેસર બાંધકામો કરવામા આવેલ છે એને પણ દૂર કરવાની કાર્યવાહી કરવામા આવશે કે કેમ એ એક ચર્ચાનો વિષય બન્‍યો છે.

Related posts

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા મફત રાશનનું વિતરણ કરાયું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીઈબીના સંભવિત પી.એચ.એમ. પ્રિપેઈડ સ્‍માર્ટ મિટર માટે અસમંજસતા અને વિરોધનો સુર

vartmanpravah

Leave a Comment