Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નગરપાલિકા દ્વારા કરાયેલા વેરામાં વધારા સામે નોંધાયેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ નગરપાલિકા દ્વારા પાણી, ગટર અને વાહનો પર અસહ્ય વધારા અંગે પાલિકા દ્વારા વાંધા, સૂચનો મંગાવતા માજી વિપક્ષ નેતા ગિરીશ દેસાઈ તથા માજી સભ્‍યો સંજય ચૌહાણ, ઝાકિર પઠાણ, નિતેશ વશી વિગેરે મિલકતદારોને અપીલ કરતા સદર વેરા વધારા સામે સખત વિરોધ સાથે વાંધા સૂચનો રજૂ કરવામાં આવી રહેલ છે. પાણી વેરો હાલમાં 660 રૂપિયા છે. જેમાં મિલકત વેરા પર 25 ટકા પરંતુ રૂપિયા 500 થી ઓછા નહીં જે મિલકતદારોનો મિલકત વેરો રૂપિયા 2000 તેને 25 ટકા વધારો 500 રૂપિયા ગણી શકાય પરંતુ જે મિલકતદારોનો મિલકત વેરો રૂપિયા 2000 થી નીચે જેવા કે મિલકત વેરો રૂપિયા 50 હોય તેને પણ રૂપિયા 500 નો વધારો પાણી વેરામાં દાખલ કરેલ છે. જેથી હાલમાં વેરો રૂપિયા 660 લેવામાં આવે છે. જેના પર નવો રૂપિયા 500નો વધારો થવાથી 50 રૂપિયાથી 1900 રૂપિયા સુધી મિલકત વેરો ભરનારને રૂપિયા 1160 પાણી વેરો ભરવાનું નગરપાલિકાએ દાખલ કરેલ છે. જે સદંતર ગેરવ્‍યાજબી છે. એજ રીતે ગટર વેરા પર પણ રૂપિયા 500 નો મિલકત દીઠ વધારો તથા વાહનો ઉપર 1 ટકા આજીવન ટેક્ષ અંગે સખતવાંધો જનતા દ્વારા થઈ રહ્યો છે. વાંધા સૂચનો અંગે રજૂઆત તથા અપીલના અંતિમ દિવસ સુધીમાં મોગરાવાડી વિસ્‍તારના વોર્ડ નં.3 અને વોર્ડ નં.4, (મિલકત આકારણી વોર્ડ નં.13, 14, 15) માંથી 1810 થી વધુ ધારકોએ આજરોજ ગિરીશ દેસાઈ, સંજય ચૌહાણ, વિજય પટેલ વગેરેની આગેવાનીમાં વાંધા, સૂચન, અપીલ અરજી રજૂ કરી હતી.

Related posts

દાનહ જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના ચોક્કસ પદાધિકારીઓ દ્વારા થનારા મોટા ‘ખેલા’ સામે 11 જિ.પં. સભ્‍યોએ ખેંચેલી સીધી લાઈન

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘શૈક્ષણિક ફિલ્‍ડ ટ્રીપ’નું આયોજન થયું

vartmanpravah

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

vartmanpravah

દમણઃ ભીમપોર કોમ્‍પલેક્ષનો વાર્ષિક રમતોત્‍સવ ભીમપોર હાઇસ્‍કૂલના મેદાન ઉપર યોજાયો

vartmanpravah

પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા ડાંગમાં અનાજની કીટનું વિતરણ કરાયું

vartmanpravah

બી.આર.ઍસ. કોલેજ થવા-ભરૂચ ખાતે ઍન.ઍસ.ઍસ.ઍકમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમા સંસ્થાના મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોલા, પ્રમુખશ્રી યોગેશભાઈ જોશી, તમામ વિભાગના આચાર્યશ્રીઓ, તમામ કર્મચારીગણ તેમજ ઍન.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અજયભાઈ પટેલ દ્વારા ૫૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

vartmanpravah

Leave a Comment