April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં નરોલી અને સામરવરણી મુખ્‍ય રોડ પર સર્જાયેલા બે જુદા જુદા અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિના થયેલા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલીના સામરવરણી ગામે ટેમ્‍પો સ્‍ટેન્‍ડ નજીક એક રાહદારીને અજાણ્‍યા વાહને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું. બીજી ઘટનામાં સેલવાસથી નરોલી રોડ પર અથાલ નજીક બે મોટરસાયકલ સામસામે ટકરાતા સેલવાસથી નરોલી તરફ જઈ રહેલ બાઈક સવાર નીચે પટકાતા પાછળથી આવતી ટ્રકના નીચે આવી જતા એનું પણ ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ હરીશભાઈ કાપડી (ઉ.વ.70)રહેવાસી આદિવાસી ભવન નજીક સેલવાસ જેઓ સામરવરણી ટેમ્‍પો સ્‍ટેન્‍ડ પાસે એમના મિત્રો સાથે બેઠા હતા અને કોઈક કામસર પગપાળા રસ્‍તા પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવતા અજાણ્‍યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા એમને ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે એમનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું. અકસ્‍માત કરી અજાણ્‍યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. જ્‍યારે બીજી ઘટનામાં સેલવાસ નરોલી રોડ પર મોડી રાત્રે બે બાઈક સવાર વચ્‍ચે ટક્કર થતાં સેલવાસથી નરોલી તરફ જઈ રહેલ પ્રતીક નામનો યુવાન બાઈક પરથી નીચે પટકાયો હતો જેને પાછળથી આવતી ટ્રકમાં આવી જતા ગંભીર ઈજા થતાં એનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને ટ્રકનો કબ્‍જો લઈ ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

ગુજરાત-મુંબઈની બોર્ડર ઉપર મંચ દ્વારા નિર્માણ પામેલ માણેક સાંસ્‍કૃતિક ભવન ખાતે માહ્યાવંશી વિકાસ મંચે સંગઠનના મનન-મંથન સાથે 23મા જન્‍મ દિવસની આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરેલી ઉજવણી

vartmanpravah

કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે બઢતી મળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં 100 દિવસમાં ખેડૂતો પાસે 110.38 કિવન્‍ટલ બીજ ખરીદીનો 100 ટકા લક્ષ્યાંક સિધ્‍ધ, 3 ખેડૂતોને રૂા.171089 ચૂકવાયા

vartmanpravah

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

હનમતમાળ PHC સેન્‍ટરની બાજુમાં પોલીસ સ્‍ટેશનના પટાગણમાં ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબ, અને સંવિધાનની પૂજા કરીને રક્‍તદાન કેમ્‍પયોજાયો

vartmanpravah

Leave a Comment