કાર્યક્રમ પ્રભારી પ્રિયાંક પરમાર, મંડળ ઈન્ચાર્જ કિરીટ દમણિયા તથા મંડળ પ્રમુખ વિષ્ણુ બાબુ દ્વારા કરાયેલું ભવ્ય આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06
ભારતીય જનતા પાર્ટીના 42માં સ્થાપના દિવસની ઉજવણી આજે દમણવાડા મંડળ ખાતે પ્રદેશ ભાજપ પ્રભારી અને રાષ્ટ્રીય મંત્રી શ્રીમતી વિજ્યા રહાટકરના માર્ગદર્શન અને પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલની સલાહથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્થાપના દિવસ ઉજવણીના પ્રભારી શ્રી પ્રિયાંક પરમાર, દમણવાડા મંડળના ઈન્ચાર્જ શ્રી કિરીટભાઈ દમણિયાની ઉપસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યકરોને કરેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દમણવાડા મંડળ કાર્યક્રમના પ્રભારી શ્રી પ્રિયાંક પરમારે 42 વર્ષમાં ભાજપે છેવાડેના લોકોના ઉદ્ધાર માટે કરેલા કામોની વિગત આપી હતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબકા સાથ, સબકા વિકાસ,સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો ઉલ્લેખ કરી પ્રદેશમાં જન જન સુધી ભાજપ સરકારની સિદ્ધિઓ પહોંચાડવા હાકલ કરી હતી.
આ પ્રસંગે કાર્યકરો સાથે એક રેલીનું પણ આયોજન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દમણવાડા મંડળ પ્રમુખ શ્રી વિષ્ણુ બાબુ અને શ્રી કેવલ ખારવાએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, શ્રીમતી પ્રિતિ હળપતિ, શ્રીમતી ઉર્વિશાબેન બારી, શ્રીમતી કલ્પનાબેન હળપતિ સહિતના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.