March 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીથી દર વર્ષે ઉનાળામાં થતો પાણીનો કકળાટ

  • દરરોજ અને સમયાંતરે દમણગંગા જળાશય યોજના અંતર્ગત મઘુબન ડેમ મારફત દમણના દુણેઠા અને ભીમ તળાવમાં પાણી ઠલવાતું હોવા છતાં કટોકટીના સમયે ઉપયોગમાં આવી શકે તે પ્રકારનો અનામત જથ્‍થો કેમ રખાતો નથી ?

  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાંથી ટેન્‍કર માફિયાઓના ન્‍યુસન્‍સને મહ્‌દ અંશે નાબુદ કર્યો હોવા છતાં ઠેર-ઠેર પાણીની બૂમ પડતા જાહેર બાંધકામ વિભાગ, જિલ્લા પંચાયત કે નગર પાલિકાને ટેન્‍કર દ્વારા પાણી પહોંચાડવાની ઉભી થતી આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
દમણના જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીના કારણે દર વર્ષે ઉનાળામાં દેવકા, કડૈયા, દુણેઠા, ભીમપોર તથા ખારીવાડ જેવા વિસ્‍તારોમાં પાણીનો કકળાટ શરૂ થાય છે. દમણગંગા જળાશય યોજના દ્વારા મધુબન ડેમમાંથી દરરોજ અને સમયાંતરે પાણીનો પુરતો પૂરવઠો ラદુણેઠા અને મોટી દમણના ભીમ તળાવમાં ઠલવાતો હોવા છતાં લોકોને પુરતા જથ્‍થામાં પાઈપલાઈન મારફત પાણી નહીં મળતુ હોવાની બૂમરાણ છાશવારે પડતી રહે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાંથી ટેન્‍કર માફિયાઓનાન્‍યુસન્‍સને મહ્‌દ અંશે નાબુદ કર્યો હોવા છતાં ઠેર-ઠેર પાણીની બૂમ પડતા જાહેર બાંધકામ વિભાગ, જિલ્લા પંચાયત કે નગર પાલિકાને ટેન્‍કર દ્વારા પાણી પહોંચાડવાની આવશ્‍યકતા ઉભી થાય છે.
તાજેતરમાં ખારીવાડ, મશાલચોક, દુણેઠા, ભીમપોર જેવા વિસ્‍તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી નહીં આવતા અહિના રહેવાસીઓને ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો છે. આ વિસ્‍તારમાં પાણીના અભાવે મુસ્‍લિમ વિસ્‍તારોમાં રમઝાન માસ દરમિયાન તેમની સ્‍થિતિ પણ કફોડી બનવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે જાહેર બાંધકામ વિભાગ મધુબન ડેમમાંથી આવતી પાણીની લાઈનનું દાદરામાં ભંગાણ થયું હોવાનું જણાવી પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિષ કરી રહ્યુ છે. પરંતુ દુણેઠાના તળાવમાં પાણીનો રિઝર્વ પૂરવઠો કેમ સચવાતો નથી તેની બાબતમાં પણ યોગ્‍ય તપાસ કરવાની જરૂરિયાત દેખાય રહી છે કારણ કે, કેટલાક ઉદ્યોગોમાં નહેર મારફત સીધુ પાણી મળી રહ્યુ હોવાની જાણકારી પણ સામે આવી રહી છે ત્‍યારે ઉદ્યોગોની જરૂરિયાત સામે નાગરિકોને તરસ્‍યા રાખવાની નીતિ સુસંગત નહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બાબતે સંઘપ્રદેશ પ્રશાસન યોગ્‍ય નીતિ વિષયક નિર્ણય લઈ ભવિષ્‍યમાં પાણીની તકલીફ નહીં પડે એવું આયોજન એ સમયની માંગ છે.——–

Related posts

વડોદરા ડ્રગ પ્રકરણ બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ : જિલ્લાની બંધ ફાર્મા કંપનીઓમાં શરૂ કરેલુ સર્ચ ઓપરેશન

vartmanpravah

વાપી વી.આઈ.એ. અને વી.જી.ઈ.એલ. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

vartmanpravah

રમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્‍વરોજગાર ઉપર જોર

vartmanpravah

વાપી હાઈવે ઉપર હંગામી કામ ચલાઉ એસ.ટી. ડેપોની તૈયારી પુરજોશમાં

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah

Leave a Comment