March 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલ ‘અગ્રેસર ગુજરાત કેમ્‍પેઈન’ની માહિતી આપવા વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા.08: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ‘‘સંકલ્‍પપત્ર” જાહેર કરતા પહેલા ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવા માટે 5મી નવેમ્‍બરના રોજ આદરણીય પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્‍તે ‘‘અગ્રેસર ગુજરાત કેમ્‍પેઈન” લોન્‍ચ કરવામાં આવ્‍યું છે જેની વિગતવાર માહિતીઓ આપવા આજરોજ વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે ‘‘પત્રકાર પરિષદ”નું આયોજન જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજીની આગેવાની હેઠળ કરવામાં આવ્‍યું હતું. આ તબક્કે શ્રી હેમંતભાઈએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, આદરણીય પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી. આર. પાટીલજી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘‘અગ્રેસર ગુજરાત કેમ્‍પેઈન” હેઠળ વલસાડ જિલ્લાના વિધાનસભા વાઈસ કુલ 65 અભિપ્રાય બોક્‍સ મૂકવામાં આવનાર છે. આ અભિપ્રાય બોક્‍સ વિવિધ મંડળોના હોદેદારો લોકોની વચ્‍ચે જઈ તેમના અભિપ્રાય મેળવશે. આ સાથે જ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો જિલ્લાના તમામ ધારાસભ્‍યશ્રીઓ સંસદસભ્‍યશ્રી તેમજ ચૂંટાયેલી પાંખના સભ્‍યશ્રીઓ લોકો વચ્‍ચે જઈ આ અભિપ્રાય બોક્‍સમાં તેમનો અભિપ્રાય મેળવી લોકો દ્વારા આપવામાં આવેલ તમામ અભિપ્રાયો મેળવી લીધા બાદ પ્રદેશ ખાતે મોકલી આપશે. લોકોના અભિપ્રાય મુજબ ભારતીય જનતા પાર્ટી ગુજરાતપ્રદેશ દ્વારા વિધાનસભા 2022 ની ચૂંટણી અંતર્ગત ‘‘સંકલ્‍પ પત્ર” જાહેર કરવામાં આવશે. આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શિલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

પારડી હાઈવે બ્રિજ પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ રેલિંગમાં અથડાતા મોટો અકસ્‍માત થતાં બચ્‍યો

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા યોજાયેલી ગરબાની સ્‍પર્ધા

vartmanpravah

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

vartmanpravah

દમણ એરપોર્ટ ખાતે સાંસદ સહિતમહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કરેલું અભિવાદન

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

Leave a Comment