December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી, સેલવાસ, દમણના શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણીકરી

વાપી ગુરુદ્વારામાં અખંડ પાઠ, પૂજન-અર્ચન, સત્‍સંગ સાથે રક્‍તદાન, મેડિકલ ચેકઅપ કેમ્‍પના આયોજનો કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: શીખ ધર્મના સંસ્‍થાપક માનવતાના ઉત્‍થાયક ગુરુનાનક દેવજીનો 553મો જન્‍મોત્‍સવ વાપી, દમણ, સેલવાસમાં વસતા શીખ, સિંધી સમુદાય દ્વરા હર્ષોલ્લાસથી વાપી ગુરુદ્વારામાં પ્રકાશ પર્વની ઉજવણી કરી હતી.
વાપી ચણોદમાં આવેલ ગુરુદ્વારામાં આજે મંગળવારે ગુરુનાનક દેવજીની જન્‍મ જયંતિની ઉજવણી પ્રકાશ પર્વથી શીખ અને સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ થકી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુરુદ્વારામાં અખંડ પાઠ, પૂજન-અર્ચન, કિર્તન, સત્‍સંગ સાથે લંગર પ્રસાદના અનેકવિધ આયોજન કરવામાં આવ્‍યા હતા. તેમજ રક્‍તદાન કેમ્‍પ, મેડિકલ ચેકઅપ કેમ્‍પ જેવા આયોજનનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો હતો.
ગુરુનાનક દેવજી માત્ર એક ધર્મના સ્‍થાપક નહોતા પણ સૃષ્‍ટિના જગતગુરુ હતા. તેમનો જન્‍મ કારતક પુર્ણિમાના દિને 1467માં લાહોર નજીક આવેલ તલબંડી નામના ગામમાં થયો હતો. ગુરુનાનક સાહેબે સંસારમાં રહી માનવ સેવાને શ્રેષ્‍ઠ ધર્મ બજાવ્‍યો હતો. આજે વાપી ગુરુદ્વારામાં નાનકજીના સાથી ભાઈસાબ ભાઈ મર્દાનાજીના 17મા વંશજ ભાઈ ઈન્‍દ્રજીત સિંગ અને 18મા વંશજ એવા પુત્રો વાપી ખાતે ગુરુ સંગતની સેવામાં ખાસ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના રાજભાષા સચિવ નિખિલ દેસાઈ અને સંયુક્‍ત સચિવ અરુણ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં ‘હીન્‍દી પખવાડા’નો સમાપન અને પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડ – કાંપરી રેલવેફાટક 29મી નવે.થી 05 ડિસે. 2021 સુધી સરકારના પગલે બંધ

vartmanpravah

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah

વલસાડ, વાપી, પારડીમાં સૃષ્‍ટિનો સર્જનહાર જગન્નાથ રથમાં સવાર થઈ શહેરની શેરીઓની પરિક્રમાએ

vartmanpravah

ચીખલી પંથકમાં રખડતા ઢોરોનો દિવસને દિવસે વધી રહેલો ત્રાસઃ તંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

Leave a Comment