October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ઉજવણી થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: પવિત્ર શ્રાવણ માસનું આગમન થતાં જ વિવિધ રાષ્‍ટ્રીય અને ધાર્મિક તહેવારોનું આગમન થાય છે. નાનેરા તથા મોટેરાઓમાં શ્રાવણ માસનાં આગમનથી આનંદ આનંદ છવાઈ જાય છે. આજ આનંદને જાળવી રાખવા માટે પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ હંમેશા અગ્ર રહે છે. તા.24-8-24 શનિવારના રોજ પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલખાતે જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ધોરણ-1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે શ્‍લોક અને કવિતાઓની સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને ધોરણ-6 થી 12ના વિદ્યાર્થીઓ માટે શ્રી કૃષ્‍ણની દહીંહાંડી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમળખાભેર જન્‍માષ્‍ટમી મહોત્‍સવો આનંદ માણ્‍યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યો હતો. તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી પ્રોત્‍સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

Related posts

ચીખલી તાલુકાની રૂમલા અને સિયાદા ગ્રામ પંચાયતનું વિભાજન પંચાયત વિભાગ દ્વારા કરાતા આંબાપાડા અને પ્રધાનપાડા એમ બે નવી ગ્રામ પંચાયત અમલમાં આવતા તાલુકાની કુલ-69 જેટલી ગ્રામપંચાયતો થશે

vartmanpravah

નવસારીમાં રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પૂ.મોરારી બાપુના લીધેલા આશીર્વાદ

vartmanpravah

વલસાડમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી ટેટ-ટાટના પાસ ઉમેદવારોની ભરતી કરી કાયમી કરવા માટે રેલી યોજાઈ

vartmanpravah

સેલવાસની ગુરુદેવ સોસાયટીમાં કોઈક વ્‍યક્‍તિએ ઝેરયુક્‍ત ખોરાક ખવડાવતા પાંચ ગલુડિયાંના થયેલા મોત

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે સેંકડો કાર્યકરોએ નિહાળેલો ‘મન કી બાત’ના 100મા પ્રસારણનો કાર્યક્રમ

vartmanpravah

સેલવાસના જૂના સચદેવ બાલ ઉદ્યાનમાં સ્‍થાપવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

vartmanpravah

Leave a Comment