April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાની અંતિમ સામાન્‍ય સભા યોજાઈ: નગર યોજના નં.1(વાપી)ને સરકારમાં સાદર કરવાની બહાલી

વિરોધ પક્ષ નેતા ખંડુભાઈ પટેલએ પાણી સમસ્‍યા અને કર્મચારી કાયમી કરવા જોવા મુદ્દા ઉઠાવ્‍યા : સામાન્‍ય સભા સામાન્‍ય બની

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી નગરપાલિકાની અંતિમ સામાન્‍ય સભા આજે ગુરૂવારે પાલિકા સેવાસદનમાં 11 કલાકે યોજાઈ હતી. સામાન્‍ય સભા અંતિમ એટલા માટે છે કે તા.25 ડિસેમ્‍બરના રોજ વાપી મહા નગરપાલિકા અંગેનું જાહેરનામું બહાર પાડવાની જાહેરાત થઈ ચુકી છે. તેથી તેઅંગેની વહિવટી અને ટેકનિકલ પ્રક્રિયાઓ હાથ ધરાશે. આજે મળેલી સામાન્‍ય સભા સામાન્‍ય બની રહી હતી. માત્ર ઔપચારિકતા પુર્ણ કરી સભા આટોપાઈ હતી.
વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલની અધ્‍યક્ષતામાં સામાન્‍ય સભા યોજાઈ હતી. સભામાં તા.30 જુલાઈએ મળેલી સામાન્‍ય સભાની કાર્યવાહીની બહાલી અપાઈ હતી. એપ્રિલ-2024 થી સપ્‍ટેમ્‍બર 2024 સુધીના હિસાબો મંજુર કરાયા હતા તેમજ કારોબારી સમિતિની કાર્યવાહીની બહાલી અપાઈ હતી. તા.10-12-24 ટી.પી. સમિતિની મિટિંગની ભલામણ હતી. મુસુદ્દારૂપ નગર યોજના નં.1(વાપી)ને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ મુજબ સરકારશ્રીને સાદર કરવાનો નિર્ણય લેવાયો હતો. સામાન્‍ય સભામાં વિરોધ પક્ષ નેતા ખંડુભાઈ પટેલ વધુ સક્રિય દેખાયા હતા. તેમણે પાણી સમસ્‍યા અને કર્મચારી કાયમી કરવા જેવા મુદ્દાઓની ધારદાર રજૂઆત કરી હતી. સામાન્‍ય સભામાં શાસક અને વિરોધ પક્ષના નગર સેવકો ઉપસ્‍થિત રહ્યા હતા. અંતિમ સભા હોવાથી ફોટો શેસન કરાયું હતું. કારણ કે વર્તમાન નગર સેવકોનો હોદ્દો પુર્ણ થઈ જશે અને મહા નગરપાલિકાની નવી ચૂંટણી યોજાશે.

Related posts

દીવ જિલ્લામાં ઝોલાવાડી અને દાનહમાં રખોલી ગ્રામ પંચાયતને જિલ્લાની સ્‍વચ્‍છ ગ્રામ પંચાયતનો એનાયત થયેલો એવોર્ડ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ મુલાકાત પહેલાં દાનહમાં ભાજપના મનોબળમાં વધારોઃ સેંકડો કાર્યકર્તાઓ સાથે આદિવાસી યુવા નેતા ધારાશાસ્રી સની ભીમરાએ બાંધેલી ભાજપની કંઠી

vartmanpravah

ચીખલીના નોગામા અને ટાંકલમાં સ્‍થાનિક ગ્રામ પંચાયતને જાણ કર્યા વિના સર્વેની કામગીરી કરતી ખાનગી એજન્‍સીની ટીમને સ્‍થાનિકોએ અટકાવી રવાના કરી

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ગુમ/અપહરણ થયેલા 49 બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને ખાદ્ય વસ્‍તુઓ બનાવવાની ત્રિ-દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

વરિષ્‍ઠ પી.આઈ. છાયા ટંડેલ દ્વારા દાનહમાં છઠ્ઠ પૂજા દરમિયાન ટ્રાફિક વ્‍યવસ્‍થાનું નિયમન કરનારા સ્‍કાઉટ ગાઈડના સ્‍વયં સેવકોને સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment