September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

રેલવે ઓવરબ્રિજની ગડર નાંખવાની કામગીરી આધિન બ્‍લોક જાહેર કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ઉદવાડા-વાપી રેલવે સ્‍ટેશનની વચ્‍ચે ચાર વિવિધ દિવસો દરમિયાન બ્‍લોક રહેશે તેથી રેલવેની કેટલીક ટ્રેન પ્રભાવિત થશે તેવું પヘમિ રેલવે દ્વારા જાહેર કરવામાં આવ્‍યું છે.
પશ્ચિમ રેલવેના મુખ્‍ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેક દ્વારા જાહેર કરાયેલ પ્રેસનોટ મુજબ તા.17-18-19 અને 25 ઓક્‍ટોબર એમ ચાર દિવસ માટે વાપી-ઉદવાડા રેલવે સ્‍ટેશન વચ્‍ચે બ્‍લોક રહેશે. રેલવે ઓવરબ્રિજની સ્‍ટીંગ ગડર નાખવાની કામગીરીને લઈ બ્‍લોક કરવામાં આવનાર છે. જેથી કેટલીક ટ્રેન પ્રભાવિત થશે. જેમાં તા.17 ઓક્‍ટોબર અને 19 ઓક્‍ટોબર રેગ્‍યુલેટ થનારી ટ્રેન સંખ્‍યા 20907 દાદર-ભૂજ સયાજી નગરી એક્‍સપ્રેસ 55 મિનિટ લેટ પ્રસ્‍થાપિત થશે. ટ્રેન નં.20908 ભૂજ-દાદર સયાજીનગરી 45 મિનિટ રેગ્‍યુલેટ થશે. ટ્રેન નં.12926 અમૃતસર મુંબઈ પશ્ચિમ એક્‍સપ્રેસ 30 મિનિટ રેગ્‍યુલેટ થશે. તા.19 ઓક્‍ટોબર ટ્રેન નં.02134 જબલપુર-બાંદ્રા ટર્મિનસ સ્‍પેશ્‍યલ 1 કલાક રેગ્‍યુલેટ થશે. ટ્રેન સંખ્‍યા 12996 અજમેર-બાંદ્રા ટર્મિનસ સુપર ફાસ્‍ટ 30 મિનિટ તથા ટ્રેન નં.14806 બાડમેર યશવંતપુર એક્‍સપ્રેસ 25 મિનિટરેગ્‍યુલેટ થનાર છે.

Related posts

દાનહ-નરોલી ગામે ચાલીમા આગ લાગતા દોડધામ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્‍મસ છવાયું

vartmanpravah

જેસીઆઈની મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સ નવસારી ખાતે યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં ઈન્‍કમટેક્ષ રિટર્ન ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીની તૈયારીનો આરંભ સાંસદ લાલુભાઈ પટેલે દીવ જિલ્લામાં જન સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકનું કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment