January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

રેલવે ઓવરબ્રિજની ગડર નાંખવાની કામગીરી આધિન બ્‍લોક જાહેર કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ઉદવાડા-વાપી રેલવે સ્‍ટેશનની વચ્‍ચે ચાર વિવિધ દિવસો દરમિયાન બ્‍લોક રહેશે તેથી રેલવેની કેટલીક ટ્રેન પ્રભાવિત થશે તેવું પヘમિ રેલવે દ્વારા જાહેર કરવામાં આવ્‍યું છે.
પશ્ચિમ રેલવેના મુખ્‍ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેક દ્વારા જાહેર કરાયેલ પ્રેસનોટ મુજબ તા.17-18-19 અને 25 ઓક્‍ટોબર એમ ચાર દિવસ માટે વાપી-ઉદવાડા રેલવે સ્‍ટેશન વચ્‍ચે બ્‍લોક રહેશે. રેલવે ઓવરબ્રિજની સ્‍ટીંગ ગડર નાખવાની કામગીરીને લઈ બ્‍લોક કરવામાં આવનાર છે. જેથી કેટલીક ટ્રેન પ્રભાવિત થશે. જેમાં તા.17 ઓક્‍ટોબર અને 19 ઓક્‍ટોબર રેગ્‍યુલેટ થનારી ટ્રેન સંખ્‍યા 20907 દાદર-ભૂજ સયાજી નગરી એક્‍સપ્રેસ 55 મિનિટ લેટ પ્રસ્‍થાપિત થશે. ટ્રેન નં.20908 ભૂજ-દાદર સયાજીનગરી 45 મિનિટ રેગ્‍યુલેટ થશે. ટ્રેન નં.12926 અમૃતસર મુંબઈ પશ્ચિમ એક્‍સપ્રેસ 30 મિનિટ રેગ્‍યુલેટ થશે. તા.19 ઓક્‍ટોબર ટ્રેન નં.02134 જબલપુર-બાંદ્રા ટર્મિનસ સ્‍પેશ્‍યલ 1 કલાક રેગ્‍યુલેટ થશે. ટ્રેન સંખ્‍યા 12996 અજમેર-બાંદ્રા ટર્મિનસ સુપર ફાસ્‍ટ 30 મિનિટ તથા ટ્રેન નં.14806 બાડમેર યશવંતપુર એક્‍સપ્રેસ 25 મિનિટરેગ્‍યુલેટ થનાર છે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને સુરત ઝોન કક્ષાની ‘‘શ્રી અન્ન” (મિલેટ્‍સ) સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ધરમપુર સ્‍વર્ગવાહીની નદીના નવિન પુલનું લોકાર્પણ લંબાતા અકળાયેલા લોકોએ નારિયેળ ફોડી સ્‍વયંભુ લોકાર્પણ કર્યું

vartmanpravah

આગામી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી સેલવાસ નગરપાલિકાએ હાથ ધરેલી પ્રિમોન્‍સૂન કામગીરી

vartmanpravah

75માં પ્રજાસતાક દિનની ઉજવણીમાં વાપી કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંન્‍સીસ કોલેજમાં તિરંગો લહેરાયો

vartmanpravah

દમણ જિલ્લાના સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા દશેરા પર્વે શષા પૂજા અને સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment