February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

રેલવે ઓવરબ્રિજની ગડર નાંખવાની કામગીરી આધિન બ્‍લોક જાહેર કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ઉદવાડા-વાપી રેલવે સ્‍ટેશનની વચ્‍ચે ચાર વિવિધ દિવસો દરમિયાન બ્‍લોક રહેશે તેથી રેલવેની કેટલીક ટ્રેન પ્રભાવિત થશે તેવું પヘમિ રેલવે દ્વારા જાહેર કરવામાં આવ્‍યું છે.
પશ્ચિમ રેલવેના મુખ્‍ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેક દ્વારા જાહેર કરાયેલ પ્રેસનોટ મુજબ તા.17-18-19 અને 25 ઓક્‍ટોબર એમ ચાર દિવસ માટે વાપી-ઉદવાડા રેલવે સ્‍ટેશન વચ્‍ચે બ્‍લોક રહેશે. રેલવે ઓવરબ્રિજની સ્‍ટીંગ ગડર નાખવાની કામગીરીને લઈ બ્‍લોક કરવામાં આવનાર છે. જેથી કેટલીક ટ્રેન પ્રભાવિત થશે. જેમાં તા.17 ઓક્‍ટોબર અને 19 ઓક્‍ટોબર રેગ્‍યુલેટ થનારી ટ્રેન સંખ્‍યા 20907 દાદર-ભૂજ સયાજી નગરી એક્‍સપ્રેસ 55 મિનિટ લેટ પ્રસ્‍થાપિત થશે. ટ્રેન નં.20908 ભૂજ-દાદર સયાજીનગરી 45 મિનિટ રેગ્‍યુલેટ થશે. ટ્રેન નં.12926 અમૃતસર મુંબઈ પશ્ચિમ એક્‍સપ્રેસ 30 મિનિટ રેગ્‍યુલેટ થશે. તા.19 ઓક્‍ટોબર ટ્રેન નં.02134 જબલપુર-બાંદ્રા ટર્મિનસ સ્‍પેશ્‍યલ 1 કલાક રેગ્‍યુલેટ થશે. ટ્રેન સંખ્‍યા 12996 અજમેર-બાંદ્રા ટર્મિનસ સુપર ફાસ્‍ટ 30 મિનિટ તથા ટ્રેન નં.14806 બાડમેર યશવંતપુર એક્‍સપ્રેસ 25 મિનિટરેગ્‍યુલેટ થનાર છે.

Related posts

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

જે.સી.આઈ. નવસારી દ્વારા કસ્‍બાપાર શાળામાં સમર કેમ્‍પનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વલસાડ ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપાઈની 100 મી જન્‍મજ્‍યંતી, સુશાસન દિવસે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી હાઈવે ઉપર ચાર વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત

vartmanpravah

Leave a Comment