October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

રેલવે ઓવરબ્રિજની ગડર નાંખવાની કામગીરી આધિન બ્‍લોક જાહેર કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ઉદવાડા-વાપી રેલવે સ્‍ટેશનની વચ્‍ચે ચાર વિવિધ દિવસો દરમિયાન બ્‍લોક રહેશે તેથી રેલવેની કેટલીક ટ્રેન પ્રભાવિત થશે તેવું પヘમિ રેલવે દ્વારા જાહેર કરવામાં આવ્‍યું છે.
પશ્ચિમ રેલવેના મુખ્‍ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેક દ્વારા જાહેર કરાયેલ પ્રેસનોટ મુજબ તા.17-18-19 અને 25 ઓક્‍ટોબર એમ ચાર દિવસ માટે વાપી-ઉદવાડા રેલવે સ્‍ટેશન વચ્‍ચે બ્‍લોક રહેશે. રેલવે ઓવરબ્રિજની સ્‍ટીંગ ગડર નાખવાની કામગીરીને લઈ બ્‍લોક કરવામાં આવનાર છે. જેથી કેટલીક ટ્રેન પ્રભાવિત થશે. જેમાં તા.17 ઓક્‍ટોબર અને 19 ઓક્‍ટોબર રેગ્‍યુલેટ થનારી ટ્રેન સંખ્‍યા 20907 દાદર-ભૂજ સયાજી નગરી એક્‍સપ્રેસ 55 મિનિટ લેટ પ્રસ્‍થાપિત થશે. ટ્રેન નં.20908 ભૂજ-દાદર સયાજીનગરી 45 મિનિટ રેગ્‍યુલેટ થશે. ટ્રેન નં.12926 અમૃતસર મુંબઈ પશ્ચિમ એક્‍સપ્રેસ 30 મિનિટ રેગ્‍યુલેટ થશે. તા.19 ઓક્‍ટોબર ટ્રેન નં.02134 જબલપુર-બાંદ્રા ટર્મિનસ સ્‍પેશ્‍યલ 1 કલાક રેગ્‍યુલેટ થશે. ટ્રેન સંખ્‍યા 12996 અજમેર-બાંદ્રા ટર્મિનસ સુપર ફાસ્‍ટ 30 મિનિટ તથા ટ્રેન નં.14806 બાડમેર યશવંતપુર એક્‍સપ્રેસ 25 મિનિટરેગ્‍યુલેટ થનાર છે.

Related posts

સિમલા ખાતે ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય પદાધિકારીઓની મળેલી બેઠકમાં ચિંતન-મનન: દેશમાં અનુ.જાતિ સમુદાયના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે ભાજપ દ્વારા થનારા ઠોસ પ્રયાસો

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ તથા જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલ દ્વારા દમણમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્‍થા દ્વારા આત્‍મનિર્ભર કિસાન અભિયાનનો કરાવેલો પ્રારંભ

vartmanpravah

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ચીખલી પંથકમાં વધી રહેલો રખડતા ઢોરોનો ત્રાસઃ વહીવટીતંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

Leave a Comment