પ્રેમીકા લગ્ન પ્રસંગમાં ગઈ હતી, માતા રાત્રે સૂતેલી હતી, પત્ની લીલાએ માતાને કુહાડી મારી હત્યા કરી નાંખી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03
લગ્નેતર સંબંધો ક્યારેક વરવા પરિણામમાં તબદીલ થતા સમાજમાં જોવા મળે છે. કંઈક તેવી જ ઘટના ધરમપુર પાસેના વાંસદા જંગલ ગામે રવિવારે રાત્રે ઘટી હતી. વાંસદા જંગલમાં રહેતી લીલાબેનનો પતિ ગામની અન્ય મહિલા સાથે આડા સંબંધ ધરાવતો હતો. પત્ની કંટાળી ગઈ હતી. પતિને રવિવારે બહારગામ પિયરમાં મોકલી લીલાબેન પતિની પ્રેમીકાનું કાયમ માટે કાસળ કાઢવા માટે ઘરેથી કુહાડી લઈ પ્રેમીકાના ઘરે રાત્રે પહોંચી ગઈ હતી. પ્રેમીકા લગ્ન પ્રસંગમાં ગઈ હોવાથી ભૂલથી ક્રોધના આવેશમાં લીલાબેનએ સુતેલી પ્રેમીકાની માતા ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કૃત્ય કોઈ જોઈ ગયું હતું તેથી ઘરે આવીને પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
વાંસદા જંગલ ગામે રહેતી લીલાબેન આશાવર્કર તરીકે કામ કરતા ના લગ્ન ગુલાબભાઈ સાથે થયા હતા. પરંતુ પતિને ગામની અન્ય મહિલા સાથે આડો સબંધ હતો તેથી કંટાળી ગઈ હતી. રવિવારે પતિને પિયર માતા-પિતાની ખબર કાઢવા મોકલી આપી. રાત્રે લીલાબેન પ્રેમીકાનો કાયમી અંત લાવવા ઘરેથી કુહાડીલઈ રાત્રે નિકળી હતી. ખાટલામાં સુતેલી પ્રેમીકા સમજીને લીલાએ મોતને ઘાટ ઉતારી દીધી. હકીકતમાં પ્રેમીકા લગ્નમાં ગઈ હતી. ખાટલામાં પ્રેમીકાની માતા રેશમાબેન સુતા હતા તેમનું મોત નિપજાવી દીધેલું. આ કૃત્ય કરતા કોઈ જોઈ ગયેલું. તેથી લીલાએ ઘરે આવીને આપઘાત કરી લીધો હતો. બે મોતની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી દીધી હતી.