April 24, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લા સરકારી પુસ્‍તકાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત  જિલ્લાની જનતા આઝાદીને લગતા પુસ્‍તકોથી પરિચિત થાય તેવા ઉમદા આશયથી પુસ્‍તક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ૧૦૦૦ કરતાં વધુ પુસ્‍તકો પ્રદર્શિત કરવામાં આવ્‍યા હતા. જેનો વલસાડની વાંચનપ્રિય જનતાએ ઉત્‍સાહભેર લાભ લીધો હતો.

આ અવસરે જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઇ પટેલે આઝાદીને લગતા તેમજ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુસ્‍તકો અંગે જાણકારી આપી હતી. સુરતના મદદનીશ ગ્રંથાલય નિયામક ડી.સી.પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં ગ્રંથાલયોની જાણકારી આપી યુવાઓને વધુમાં વધુ પુસ્‍તકોનું વાંચન કરવા અનુરોધ કર્યો હતો. ગ્રંથપાલ શ્રીમતી એલ.આઇ.પટેલે આભારવિધિ આટોપી હતી.

આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સરકારી ગ્રંથાલયોના ગ્રંથપાલ, મદદનીશ ગ્રંથપાલ, વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા, ગાંધી લાયબ્રેરી, સાર્વજનિક પુસ્‍તકાલય કપરાડા, અંધજન શાળાના બાળકો, શિક્ષકગણ સહિત યુવાઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

vartmanpravah

ખરડપાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

vartmanpravah

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

વલસાડ એલ.સી.બી.એ નાસતા ફરતા પાંચ વોન્‍ટેડ આરોપીને ઝડપી જે તે પો.સ્‍ટે.ને સોંપ્‍યા

vartmanpravah

નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત દમણ બાલ ભવન બોર્ડ દ્વારા 2 સપ્‍ટેમ્‍બરે ગાયન સ્‍પર્ધા અને 3 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે

vartmanpravah

Leave a Comment