June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લા સરકારી પુસ્‍તકાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત  જિલ્લાની જનતા આઝાદીને લગતા પુસ્‍તકોથી પરિચિત થાય તેવા ઉમદા આશયથી પુસ્‍તક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ૧૦૦૦ કરતાં વધુ પુસ્‍તકો પ્રદર્શિત કરવામાં આવ્‍યા હતા. જેનો વલસાડની વાંચનપ્રિય જનતાએ ઉત્‍સાહભેર લાભ લીધો હતો.

આ અવસરે જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઇ પટેલે આઝાદીને લગતા તેમજ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુસ્‍તકો અંગે જાણકારી આપી હતી. સુરતના મદદનીશ ગ્રંથાલય નિયામક ડી.સી.પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં ગ્રંથાલયોની જાણકારી આપી યુવાઓને વધુમાં વધુ પુસ્‍તકોનું વાંચન કરવા અનુરોધ કર્યો હતો. ગ્રંથપાલ શ્રીમતી એલ.આઇ.પટેલે આભારવિધિ આટોપી હતી.

આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સરકારી ગ્રંથાલયોના ગ્રંથપાલ, મદદનીશ ગ્રંથપાલ, વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા, ગાંધી લાયબ્રેરી, સાર્વજનિક પુસ્‍તકાલય કપરાડા, અંધજન શાળાના બાળકો, શિક્ષકગણ સહિત યુવાઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

દાનહઃ ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લાના ખેડૂતો તા.2પ નવેમ્‍બર સુધીમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટે ઓનલાઈન અરજી કરવી

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

ગૃહમંત્રીએ રાતે 12 પછી ગરબા રમવા આપેલી છૂટને વાપીના ગરબા આયોજકોએ આવકારી

vartmanpravah

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah

સેલવાસમાં રોહિત સમાજ દ્વારા રક્‍તદાન અને તબીબી તપાસ શિબિર યોજાઈ: 500થી વધુ લાભાર્થીઓએ લીધેલો લાભઃ 165 યુનિટએકત્રિત કરાયેલું રક્‍ત

vartmanpravah

Leave a Comment