Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

  • સવારે 9.30 વાગ્‍યે ભામટી કોમ્‍યુનિટી હોલથી મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે શોભાયાત્રા ગ્રામસભામાં ફેરવાશે

  • શોભાયાત્રા અને વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા અપાયેલું જાહેર આમંત્રણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.1ર

અગામી તા.14મી એપ્રિલ,ર0રરના ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈદમણિયાના જણાવ્‍યા પ્રમાણે ભામટી કોમ્‍યુનિટી હોલ ખાતેથી સવારે 9.30 કલાકે ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું પ્રસ્‍થાન થશે અને 11.00 વાગ્‍યે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવનના સભાખંડમાં માનવમેદની વિશેષ ગ્રામસભામાં રૂપાંતરિત થશે.
ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રા અને વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા સરપંચ અને ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

કલગામ હનુમાનજી મંદિરે વિકલાંગ શ્રદ્ધાળુઓની સહાય માટે યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટે વ્‍હીલચેરની ઉભી કરેલી વ્‍યવસ્‍થા

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે મોટી દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પી.એસ.આઈ હિરલ પટેલનું કરાયેલું સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગાય-ભેંસ વર્ગમાં લમ્પી વાયરસના 5 શંકાસ્પદ પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ, તંત્ર એકશનમાં- તાત્કાલિક સારવારને પગલે રિકવરી આવતા રાહત

vartmanpravah

વલસાડ કાંજણ રણછોડ પાસેની વાંકી નદીમાં બાઈક સવાર માતા-પૂત્ર તણાયા : પૂત્રને ઉગારી લેવાયો

vartmanpravah

કોમન લૉ એડમિશન ટેસ્‍ટ (CLAT)ની પરીક્ષા આજે દેશભરના 139 કેન્‍દ્ર ખાતે સંપન્નઃ સેલવાસ અને દીવ કેન્‍દ્ર ખાતે 100 ટકા હાજરી નોંધાઈ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ માતૃભાષા દિવસ”ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

Leave a Comment