Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

તા.૪થી જૂને નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ખાતે પેન્‍શન અદાલત યોજાશે

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ તા.પ મી મે સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

વલસાડઃતા.૨૨: રાજ્‍ય સરકારના પેન્‍શનરો માટે નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ઝોન માટે ડિપાર્ટમેન્‍ટ ઓફ કોમ્‍પ્‍યુટર સાયન્‍સ, પહેલો માળ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે તા.૦૪/૦૬/૨૦૨૨ ને શનિવારે બપોરના ૧૨-૦૦ કલાકથી સાંજના ૦૫-૦૦ વાગ્‍યા દરમિયાન પેન્‍શન અદાલતનું આયોજન કરાયું છે.

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ જિલ્લા તિજોરી કચેરી, સેવાસદન-૧-વલસાડ, પેન્‍શનર સમાજ પાસેથી તથા https://financedepartment.gujarat.gov.in અને https://dat.gujarat.gov.in ઉપરથી નિયત નમુનાનું ફોર્મ મેળવી લઇ તેમાં જરૂરી વિગતો ભરીને તા.૦૫/૦૫/૨૦૨૨ સુધીમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્‍લોક નં.૧૭ ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. પેન્‍શનર https://bit.ly/pension-adalat ની લીંકમાં જઇ ગુગલ ફોર્મમાં પણ વિગતો ભરીને ફોર્મ જમા કરાવી શકશે, તેમ જિલ્લા તિજોરી અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલીમુલાકાત

vartmanpravah

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

પ્રશાસકશ્રીની દાનહ મુલાકાતનો બીજો દિવસઃ વિકાસકામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment