Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્‍પદ બનેલા લેન્‍ડલેસ પ્‍લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્‍પમાં માંગેલી તપાસ

જમીન વિહોણા આદિવાસીઓને આપવામાં આવેલા પ્‍લોટના ખોટા દસ્‍તાવેજ બનાવી પ્રદેશના દલાલ, લેન્‍ડમાફિયા, બિલ્‍ડર વગેરેએ કરોડો રૂપિયાના કરેલા ખેલની માંગેલી સીબીઆઈ તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26
દાદરા નગર હવેલી ખાતે કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ જમીનવિહોણા આદિવાસીઓનેઆપવામાં આવેલી જમીનને દલાલ, લેન્‍ડમાફિયાઓ અને બિઝનેશમેન તથા બિલ્‍ડરોએ ખોટી રીતે વિલનામું અને વસિયતનામું બનાવી કરોડો રૂપિયાના કરેલા ભ્રષ્‍ટાચારની તપાસ કરવા સેલવાસના દમણગંગા સરકિટ હાઉસ ખાતે આયોજીત સીબીઆઈના કેમ્‍પમાં લેખિત ફરિયાદ આપી જણાવ્‍યું છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીમાં 1991-92થી લઈ લગભગ 2016 સુધી આદિવાસીઓની જમીનને પાણીના ભાવે પડાવી લેવાના અનેક કિમિયાઓ કરાયા હતા, તેમાં હવે કોંગ્રેસી નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ સીબીઆઈ સમક્ષ માંગેલી તપાસનો પડઘો કેવો પડે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

વાપી નગરપાલિકા નવનિયુક્‍ત પ્રમુખ તરીકે કાશ્‍મિરાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે અભય શાહની બિનહરીફ વરણી

vartmanpravah

બિહાર વેલ્ફેર એસેસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે દેહરી ખાતે કષ્ટ ભંજન મંદિરે હનુમાન દાદાના દર્શન કર્યા

vartmanpravah

ઉમરગામ વિસ્‍તારમાં 16 જેટલી ચોરી કરનાર ધોત્રે ગેંગના બે રીઢા ચોરને 10.31 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચ્‍યા

vartmanpravah

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ-જનજાતિય ગૌરવ સપ્તાહના ઉપલક્ષમાં દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલ-ઈંગ્‍લિશ મીડિયમમાં જનજાતિય સમુદાયની સંસ્‍કૃતિ ઇતિહાસ અને પ્રભાવના વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment