April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના ઔદ્યોગિક વિકાસની ઝાંખીનો નઝરાણો ઉન્નતિ એક્‍સ્‍પોનો રવિવારથી આરંભ

  • તા.8મી મેના સાંજે 5.30 વાગ્‍યાથી અને 9મી મેથી 16મી મે, 2022 સુધી સવારે 10.00 વાગ્‍યાથી રાત્રિના 9.00 વાગ્‍યા સુધી સામાન્‍ય લોકો પોતાના પરિવાર સાથે એક્‍સ્‍પોનો અનુભવ અને આનંદ માણી શકશે

  • એક્‍સ્‍પોમાં ઔદ્યોગિક પ્રદર્શન સહ વેચાણની સાથે સાથે કિડ્‍સ ઝોન અને ફૂડ કોર્ટની કરેલી વ્‍યવસ્‍થાથી લોકોને વિવિધ વ્‍યંજનોની લહેજત માણવાની પણ તક મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
અગામી રવિવાર તા.8મી મેના રોજ સાંજે 5.30 વાગ્‍યાથીદાદરા નગર હવેલી અને દમણ-દીવની ઔદ્યોગિક ક્ષેત્રે થયેલી ઝાંખીનો નઝરાણો ઉન્નતિ ઔદ્યોગિક વેચાણ સહ એક્‍સ્‍પોનો શુભારંભ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કેન્‍દ્રીય વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા ઉદ્દઘાટન બાદ જોવા મળશે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે રામસેતુ બીચ રોડની સામે આયોજીત સમિયાણામાં દમણ અને સેલવાસના ઉદ્યોગો દ્વારા ઉત્‍પાદિત ઘર વપરાશની ચીજવસ્‍તુઓનું વેચાણ સહ પ્રદર્શન પણ કરાશે. ચીજવસ્‍તુઓનું વેચાણ ડિસ્‍કાઉન્‍ટ દરે કરવામાં આવશે.
આ ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પોમાં કિડ્‍સ ઝોન અને ફૂડ કોર્ટ પણ હશે. જેનાથી બાળકો અને ખાવા-પીવાના શોખીનો માટે વિવિધ વ્‍યંજનો પણ ઉપલબ્‍ધ રહેશે. જેના કારણે ઉન્નતિ એક્‍સ્‍પોની મુલાકાત દિવસભરનું સંભારણું પણ બની રહેશે.
તા.8મી મે, ર0રરના સાંજે 5.30 વાગ્‍યા બાદ અને 9મી મેથી 16મી મે, 2022 સુધી સવારે 10.00 વાગ્‍યાથી રાત્રિના 9.00 વાગ્‍યા સુધી સામાન્‍ય લોકો પોતાના પરિવાર સાથે એક્‍સ્‍પોનો અનુભવ અને આનંદ માણી શકશે.
આ એક્‍સ્‍પોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના અત્‍યાર સુધીના ઔદ્યોગિક વિકાસને પ્રદર્શિત કરવાની સાથે ઈન્‍ડસ્‍ટ્રીયલ મ્‍યુઝીયમમાં ઉદ્યોગોની સફળતાની સફર વિશે પણ માહિતી મળશે. વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને સ્‍ટાર્ટઅપને ભારતભરના વિવિધ નિષ્‍ણાંતો દ્વારા માર્ગદર્શનની વ્‍યવસ્‍થા પણ એક્‍સ્‍પોમાં કરવામાં આવી છે.

Related posts

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના 177 બાળકોએ ઞ્‍ધ્‍-ત્‍મ્‍ 2022 ની પરીક્ષા આપી

vartmanpravah

સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમની જળસપાટીમાં થયેલો વધારોઃ મંગળવારે 20113 ક્‍યુસેક પાણી છોડાયું 

vartmanpravah

ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

સંત નિરંકારી મિશન દ્વારા અમૃત પરિયોજના અંતર્ગત દેશવ્‍યાપી ‘સ્‍વચ્‍છ જળ-સ્‍વચ્‍છ મન’ અભિયાનનો શુભારંભ

vartmanpravah

Leave a Comment