February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.02: ગત રવિવારના રોજ મોરબી ખાતે ઝુલતો પુલ અચાનક તુટી પડતાં જે દર્દનાક દુર્ઘટના ઘટી અને તેમાં બાળકો, મહિલાઓ અને પુરુષો થઈ આશરે 140 જેટલા લોકો મૃત્‍યુ પામ્‍યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને શોકમગ્ન કરી દીધું હતું, દીવખાતે પણ તે ઘટનાનું લોકો પર પ્રતિઘાત જોવા મળ્‍યો જેને લઈને વણાકબારા ગ્રામ પંચાયત તથા સાઉદવાડી ગ્રામ પંચાયત દ્વારા મૃતકો માટે વણાકબારા ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં ગ્રામજનોએ મીણબત્તી પ્રગટાવી, પુષ્‍પ અર્પણ કરી સાથે બે મિનિટનું મૌન ધારણ કરી શ્રધ્‍ધાંજલી આપી હતી, સાથે ઘાયલ લોકો પણ વહેલીતકે સ્‍વસ્‍થ બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. આ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શંકર ભગવાન, ઉપ સરપંચ શશીકાંતભાઈ, ડો.ભરત ચાવડા, વણાકબારા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ નરસિંહભાઈ, જિલ્લા પંચાયત સદસ્‍યો ઉમેશ રામા, રામજીભાઈ, રામજી પારસમણિ, પુંજાભાઈ બામણીયા, ભીખાભાઈ વૈશ્‍ય, નરસિંહભાઈ ચારણીયા, રામજીભાઈ સોલંકી, ડો.હરેશ સોલંકી (ચૂલાવાડા), કિર્તી ગોહિલ, લક્ષ્મણ જીવા સોલંકી, મનોજ બારિયા, બાબુભાઈ વૈશ્‍ય ગ્રામ પંચાયત સદસ્‍યો અને બહોળી સંખ્‍યામાં મહાનુભાવો, મહિલાઓ અને પુરુષો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડાના માની ગામે તાજી વિયાયેલી ગાયનું દૂધ પીતા પરિવારના 10 સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થયું

vartmanpravah

આજથી ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સંઘપ્રદેશના ત્રણ દિવસના પ્રવાસેઃ દમણ-દીવ અને દાનહ ઉપ રાષ્‍ટ્રપતિના સત્‍કાર માટે સજ્જ

vartmanpravah

હજુ એક કેસનો ભેદ ઉકેલાયો ત્‍યાં ફરી શુક્રવારે દાદરા નહેર કિનારેથી યુવાનની લાશ મળી આવી: દાદરા નગર હવેલીમાં ગુનાખોરીનું વધી રહેલું પ્રમાણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ

vartmanpravah

બે દિવસીય ઉનાઈ મહોત્‍સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

vartmanpravah

દમણના જમ્‍પોર બીચ ઉપરથી બાઈક ચોરાઈઃ ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

Leave a Comment