Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.02: ગત રવિવારના રોજ મોરબી ખાતે ઝુલતો પુલ અચાનક તુટી પડતાં જે દર્દનાક દુર્ઘટના ઘટી અને તેમાં બાળકો, મહિલાઓ અને પુરુષો થઈ આશરે 140 જેટલા લોકો મૃત્‍યુ પામ્‍યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને શોકમગ્ન કરી દીધું હતું, દીવખાતે પણ તે ઘટનાનું લોકો પર પ્રતિઘાત જોવા મળ્‍યો જેને લઈને વણાકબારા ગ્રામ પંચાયત તથા સાઉદવાડી ગ્રામ પંચાયત દ્વારા મૃતકો માટે વણાકબારા ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં ગ્રામજનોએ મીણબત્તી પ્રગટાવી, પુષ્‍પ અર્પણ કરી સાથે બે મિનિટનું મૌન ધારણ કરી શ્રધ્‍ધાંજલી આપી હતી, સાથે ઘાયલ લોકો પણ વહેલીતકે સ્‍વસ્‍થ બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. આ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શંકર ભગવાન, ઉપ સરપંચ શશીકાંતભાઈ, ડો.ભરત ચાવડા, વણાકબારા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ નરસિંહભાઈ, જિલ્લા પંચાયત સદસ્‍યો ઉમેશ રામા, રામજીભાઈ, રામજી પારસમણિ, પુંજાભાઈ બામણીયા, ભીખાભાઈ વૈશ્‍ય, નરસિંહભાઈ ચારણીયા, રામજીભાઈ સોલંકી, ડો.હરેશ સોલંકી (ચૂલાવાડા), કિર્તી ગોહિલ, લક્ષ્મણ જીવા સોલંકી, મનોજ બારિયા, બાબુભાઈ વૈશ્‍ય ગ્રામ પંચાયત સદસ્‍યો અને બહોળી સંખ્‍યામાં મહાનુભાવો, મહિલાઓ અને પુરુષો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

પીએમ મોદીએ આઇકોનિક વીકમાં જન સમર્થ પોર્ટલ લોન્‍ચ કર્યું: દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જીએસટી વિભાગ દ્વારા થયેલી જીવંત પ્રસારણની વ્‍યવસ્‍થા

vartmanpravah

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

નવસારી ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલું હિંસા અધિનીયમ-૨૦૦૫ જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો ભવ્‍ય ફનફેરઃ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધેલો ઉત્‍સાહથી ભાગ

vartmanpravah

Leave a Comment