Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે હરિશભાઈ પટેલની વરણી : ઓબીસી સમુદાયમાં આનંદ અને ઉત્‍સાહનો માહોલ

  • 80 ટકા ઓબીસી વસતી ધરાવતા દમણ અને દીવના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે હરિશભાઈ પટેલની કરેલી

  • નિયુક્‍તિથી પ્રદેશમાં ભાજપનો મોટો જનાધાર વધશેપેટાઃહરિશભાઈ પટેલ ગ્રાસરૂટ લેવલના કાર્યકર હોવાથી પ્રદેશમાં દરેક વર્ગ, સમાજ અને જૂથ સાથે જીવંત સંબંધ ધરાવે છે


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપે પ્રદેશમાં ઓબીસી મોરચાના સંગઠનને વધુ લોકાભિમૂખ અને અસરકારક બનાવવા માટે દમણ-દીવના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે શ્રી હરિશભાઈ પટેલની નિયુક્‍તિ કરી છે. જ્‍યારે સ્‍ટેટ જનરલસેક્રેટરી તરીકે શ્રી ભરતભાઈ પટેલને અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે. શ્રી દિલીપભાઈ પ્રજાપતિને દાનહના સ્‍ટેટ જનરલ સેક્રેટરીનો પદભાર સોંપવામાં આવ્‍યો છે.
80 ટકા જેટલી ઓબીસી વસતી ધરાવતા દમણ અને દીવના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે શ્રી હરિશભાઈ પટેલની નિયુક્‍તિ કરી પ્રદેશ ભાજપે ખુબ જ મોટો આવકારદાયક નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
શ્રી હરિશભાઈ પટેલ દમણમાં દરેક સમાજોમાં પોતાની લોકપ્રિયતા ધરાવતા હોવાથી 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ ખુબ જ મહત્‍વની ભૂમિકા ભજવશે. દાદરા નગર હવેલી અને દીવ ખાતે પણ શ્રી હરિશભાઈ પટેલનો વિવિધ જૂથો સાથે સીધો સંબંધ હોવાથી તેમની નિમણૂકથી દમણ-દીવ સહિત દાદરા નગર હવેલીમાં પણ ભાજપનો જનાધાર વધશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, શ્રી હરિશભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી રીનાબેન પટેલ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરપર્સન હોવાની સાથે તેઓ કોઈપણ કામની ગુણવત્તા અને સમયમર્યાદા સાથે સમાધાન કરતા નથી. દમણ જિલ્લા પંચાયત દ્વારા થતા વિવિધ વિકાસના કામોનું પણ તેઓ સ્‍વયં નિરીક્ષણ કરવા જઈ અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ પણ આપતા રહે છે.
શ્રી હરિશભાઈ પટેલની ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે કરેલી નિયુક્‍તિથી દમણ-દીવમાં ઓબીસીસમુદાયની કેટલીક સમસ્‍યાઓનું પણ નિરાકરણ આવવાની સાથે પ્રદેશમાં ઉત્‍સાહ અને આનંદનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.

Related posts

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

vartmanpravah

દમણમાં પ્રદેશ સ્‍તરના આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની સંવેદનશીલતાની ઝળકેલી ઝલક

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા શતરંજ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

‘સતર્કતા જાગળતિ સપ્તાહ-2021′ પર સરકારી કર્મચારીઓને પ્રશાસકશ્રીના સલાહકાર એ.કે.સિંઘે અખંડિતતાના લેવડાવેલા શપથઃ પ્રદેશમાં સતર્કતા સપ્તાહનો આરંભ

vartmanpravah

મોટી દમણ કોસ્‍ટલ પોલીસે ચપ્‍પુની અણીએ મુંબઈના પ્રવાસીઓને લૂંટી લેવાની ઘટનાના ચાર આરોપીઓની કરેલી ધરપકડ: ફરીયાદીના મિત્રોએ જ દમણ ફરવાના બહાને લાવી ઘટનાને આપેલો અંજામ

vartmanpravah

Leave a Comment