April 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે હરિશભાઈ પટેલની વરણી : ઓબીસી સમુદાયમાં આનંદ અને ઉત્‍સાહનો માહોલ

  • 80 ટકા ઓબીસી વસતી ધરાવતા દમણ અને દીવના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે હરિશભાઈ પટેલની કરેલી

  • નિયુક્‍તિથી પ્રદેશમાં ભાજપનો મોટો જનાધાર વધશેપેટાઃહરિશભાઈ પટેલ ગ્રાસરૂટ લેવલના કાર્યકર હોવાથી પ્રદેશમાં દરેક વર્ગ, સમાજ અને જૂથ સાથે જીવંત સંબંધ ધરાવે છે


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપે પ્રદેશમાં ઓબીસી મોરચાના સંગઠનને વધુ લોકાભિમૂખ અને અસરકારક બનાવવા માટે દમણ-દીવના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે શ્રી હરિશભાઈ પટેલની નિયુક્‍તિ કરી છે. જ્‍યારે સ્‍ટેટ જનરલસેક્રેટરી તરીકે શ્રી ભરતભાઈ પટેલને અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે. શ્રી દિલીપભાઈ પ્રજાપતિને દાનહના સ્‍ટેટ જનરલ સેક્રેટરીનો પદભાર સોંપવામાં આવ્‍યો છે.
80 ટકા જેટલી ઓબીસી વસતી ધરાવતા દમણ અને દીવના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે શ્રી હરિશભાઈ પટેલની નિયુક્‍તિ કરી પ્રદેશ ભાજપે ખુબ જ મોટો આવકારદાયક નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
શ્રી હરિશભાઈ પટેલ દમણમાં દરેક સમાજોમાં પોતાની લોકપ્રિયતા ધરાવતા હોવાથી 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ ખુબ જ મહત્‍વની ભૂમિકા ભજવશે. દાદરા નગર હવેલી અને દીવ ખાતે પણ શ્રી હરિશભાઈ પટેલનો વિવિધ જૂથો સાથે સીધો સંબંધ હોવાથી તેમની નિમણૂકથી દમણ-દીવ સહિત દાદરા નગર હવેલીમાં પણ ભાજપનો જનાધાર વધશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, શ્રી હરિશભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી રીનાબેન પટેલ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરપર્સન હોવાની સાથે તેઓ કોઈપણ કામની ગુણવત્તા અને સમયમર્યાદા સાથે સમાધાન કરતા નથી. દમણ જિલ્લા પંચાયત દ્વારા થતા વિવિધ વિકાસના કામોનું પણ તેઓ સ્‍વયં નિરીક્ષણ કરવા જઈ અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ પણ આપતા રહે છે.
શ્રી હરિશભાઈ પટેલની ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે કરેલી નિયુક્‍તિથી દમણ-દીવમાં ઓબીસીસમુદાયની કેટલીક સમસ્‍યાઓનું પણ નિરાકરણ આવવાની સાથે પ્રદેશમાં ઉત્‍સાહ અને આનંદનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.

Related posts

નરોલી રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્‍કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પᅠ

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજના વિદ્યાર્થીઓ ઈન્‍ટર યુનિવર્સિટી ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં પસંદગી પામ્‍યા

vartmanpravah

આર.બી.આઈ. દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય પર અખિલ ભારતીય ક્‍વીઝ સ્‍પર્ધામાં દમણવાડા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (અંગ્રેજી માધ્‍યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓ ઝળકી

vartmanpravah

કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS કાર્યક્રમ હેઠળ કવોલિટી સર્ટિ. મળ્યું, સાથે ૩ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૩ લાખની ગ્રાન્ટ પણ મળશે

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓનો તાત્‍કાલિક નિવેડો લાવવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

Leave a Comment