April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

ભારતના પૂર્વ ક્રિકેટર કોનોર વિલિયમ્‍સના હસ્‍તે કસ્‍તુરી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે ટુર્નામેન્‍ટનું કરાયેલું ઉદ્‌ઘાટન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ, ડીએનએચ સ્‍પોર્ટસ ક્‍લબ અને કસ્‍તુરી ક્રિકેટ એકેડમીના સંસ્‍થાપક શ્રી ફતેહસિંહ મોહનસિંહ ચૌહાણ દ્વારા પ્રેરિત અંડર-17 ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ ‘ફતેહ ટ્રોફી’નું શનિવારે ભારતના પૂર્વ ક્રિકેટર શ્રી કોનોર વિલિયમ્‍સ અને હવેલી ફાઉન્‍ડેશનના સચિવ શ્રી અભિષેકસિંહ ચૌહાણનાહસ્‍તે કસ્‍તુરી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું.
આ ટુર્નામેન્‍ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં સેલવાસ અંડર-17, દાદરા અંડર-17, ખાનવેલ અંડર-17, નરોલી અંડર-17, દમણ અંડર-17 અને દીવ અંડર-17 ટીમનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્‍ટ 18મી મે થી 31મે, 2024 સુધી ચાલશે. ટુર્નામેન્‍ટ યોજવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સંઘપ્રદેશની યુવા ક્રિકેટ પ્રતિભાઓને પ્રોત્‍સાહિત કરવાનો છે. આ ટુર્નામેન્‍ટની મેચ સેલવાસના કસ્‍તુરી ગ્રાઉન્‍ડ, આલોક ગ્રાઉન્‍ડ અને સાયલી ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં રમાશે. ટુર્નામેન્‍ટનું સમગ્ર આયોજન હવેલી ફાઉન્‍ડેશન, ડીએનએચ સ્‍પોર્ટસ ક્‍લબ, દમણ અને દીવ ક્રિકેટ એસોસિયેશન અને કસ્‍તુરી ક્રિકેટ એકેડમી દ્વારા કરવામાં આવ્‍યું છે.

Related posts

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 69 કેસ નોંધાયાં : 418 એક્‍ટિવ કેસ

vartmanpravah

ભાજપ દ્વારા દેશભરમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજીત પત્રકાર પરિષદ દેશ બદલાઈ રહ્યો છે નવી દિશામાં ઊંચાઈ તરફ જઈ રહ્યો છેઃ જીતુભાઈ વાઘાણી

vartmanpravah

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

Leave a Comment