Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વિદેશ જનારા નાગરિકોને કોવિડ – ૧૯ ૨સીનો બુસ્‍ટર ડોઝ મળી શકશે

વલસાડ તા.૧૮:  વલસાડ જિલ્લામાં હાલ કોવિડ – ૧૯ ૨સીક૨ણનો બુસ્‍ટર (પ્રિકોશન) આપવામાં આવી રહ્યો છે. જેમાં ૬૦ વર્ષથી ઉ૫૨ના (વર્ષ ૧૯૬૨ પહેલાં જન્‍મેલા હોય) / હેલ્‍થ કેર વર્ક૨/ ફ્રન્‍ટ લાઇન વર્ક૨ છે એવા લાભાર્થીઓ નજીકનાં પ્રા.આ.કેન્‍દ્રો/ અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે બુસ્‍ટ૨ (પ્રિકોશન) ડોઝનો લાભ લઈ શકે છે. તથા ૧૮ થી ૫૯ વર્ષનાં નાગરિકોને ખાનગી હોસ્‍પિટલોમાં બુસ્‍ટ૨ ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે. જે માટે કોવિડ-૧૯ ૨સીનો બીજો ડોઝ લીધાને ૯ માસ (૩૯ અઠવાડિયા) પુર્ણ કર્યા હોવા જરૂરી છે.

સ૨કા૨શ્રીની નવી ગાઈડલાઈન મુજબ જે લોકો વિદેશમાં ભણવા, નોકરી ક૨વા, ખેલ કુદમાં ભાગ લેવા, બીઝનેસ (ધંધા) માટેના હેતુથી વિદેશ જવાના હોય એવા નાગરિકો કોવિડ રસીનો બીજો ડોઝ લીધા પછી ૯૦ દિવસ પુર્ણ થયે બુસ્‍ટ૨ (પ્રિકોશન) ડોઝ લઇ શકશે.

૧૮ વર્ષથી ઉ૫૨ના અને ૬૦ વર્ષથી નીચેની વયના (વર્ષ ૨૦૦૪ અથવા તે પહેલાં અને વર્ષ ૧૯૬૩ સુધી જન્‍મેલા) નાગરિકો જિલ્લાની ૬ જેટલી ખાનગી હોસ્‍પિટલોમાં બુસ્‍ટર (પ્રિકોશન) ડોઝ લઇ શક્‍શે. આ વયજૂથનાં નાગરિકાને સ૨કા૨શ્રીની માર્ગર્દાર્શકા મુજબ નક્કી કરેલ દરે ૨સી આપવામાં આવશે. આ માટે લાભાર્થીએ તેમનું છેલ્લું રસીક૨ણ પ્રમાણપત્ર સાથે લઈ જવાનું રહેશે. વલસાડ જિલ્લા ખાતે ૧૮ વર્ષથી ૫૯ વર્ષનાં વય જુથની વ્‍યક્‍તઓ માટે -કિોશન (બુસ્‍ટ૨) ડોઝ માટેનાં કોવિડ -૧૯ ખાનગી રસીકરણ કેન્‍દ્રોની વિગતો જોઇએ તો કસ્‍તુરબા હોસ્‍પિટલ વલસાડ મો.નં.૯૧૭૩૨૩૫૫૬૯, અમિત હોસ્‍પિટલ-વલસાડ મો.નં.૯૮૨૫૧૩૦૩૯૩, શ્રેયસ હોસ્‍પિટલ-વાપી મો.નં.૯૯૯૮૦૦૮૦૦૫, હરિયા હોસ્‍પિટલ-વાપી માો.નં.૯૮૨૫૦૩૭૫૦૨ અને નાડકર્ણી હોસ્‍પિટલ-વાપી મો.નં.૯૮૭૯૫૪૧૩૩૯ ખાતે કોવીશીલ્‍ડ તેમજ શેલ્‍બી હોસ્‍પિટલ-વાપી મો.નં.૯૮૭૪૩૫૫૫૮૮ ખાતે કોવીશીલ્‍ડ અને કોવેકસીન રસી ઉપલબ્‍ધ રહેશે. કોવિડ-૧૯ રસીકરણ કેન્‍દ્રોની યાદી જિલ્લા પંચાયતની વેબસાઇટ https://valsaddp.gujarat.gov.in  ઉપર દૈનિક ધોરણે ઉપલબ્‍ધ કરવામાં આવે છે, એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

વાપીના ભાજપ આગેવાનો મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ ગોરેગાંવ બેઠકના પ્રચાર માટે કાર્યરત થયા

vartmanpravah

વલસાડજિલ્લાના ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સંપાદન થયેલ જમીનનું યોગ્‍ય વળતર મળે તેવી દિલ્‍હીમાં રજૂઆત

vartmanpravah

GNLU સેલવાસ કેમ્‍પસમાં એસસી/એસટી અત્‍યાચાર નિવારણ અધિનિયમ, 1989 પર આઉટરીચ પ્રોગ્રામ સાથે ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ગુજરાત માનવાધિકાર આયોગના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્‍ય અતિથિ પદે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ પાલિકાએ છેલ્લા એક વર્ષમાં નિયમોને નેવે મૂકી આપેલી બીયુપી સામે થનારી ઉચ્‍ચ સ્‍તરીય રજૂઆત

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપના ગાવ ચલો અભિયાન અંતર્ગત આગેવાનો ગામડા ખુંદી દરેક બુથ પર જઈ સરકારની યોજનાઓથી લોકોને વાકેફ કરશે

vartmanpravah

Leave a Comment