August 31, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના સામરવરણી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં દમણના એક યુવાનનું ઘટના સ્‍થળે જ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.2ર
સેલવાસ ખાનવેલ રોડ પર સામરવરણી ચાર રસ્‍તા પર ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યુ છે જેના કારણે સાઈડના રસ્‍તા પર મોટામોટા ખાડાઓ હોવાને કારણે વારંવાર અકસ્‍માતની ઘટનાઓ બનતી રહે છે એક ઘટનામા દમણનો બાઈક સવાર ત્‍યાંથી પસાર થઇ રહ્યો હતો તે સમયે અચાનક અજાણ્‍યા વાહનચાલકે ટક્કર મારતા બાઈક પરથી નીચે પટકાયો હતો અને એના પેટ પરથી ટાયર ફરી વળતા ઘટનાસ્‍થળ પર જ એનું મોત થયું હતુ.
અમિતસિંગ (ઉ.વ.38) રહેવાસી દમણ જેની પત્‍ની ગર્ભવતી હતી અને એને દમણ મરવડ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવી હતી. જ્‍યા માંના પેટમાં જ બાળકનું મોત થઈ ગયું હતું. પરિવારજનોનો આરોપ છે કે અમિતસિંહની પત્‍ની રશ્‍મી સિંહના પેટમાં ઓપરેશન દરમ્‍યાન કચરો રહી જવાને કારણે એની કીડની પર અસર થતા એને મરવડ હોસ્‍પિટલથી વિનોબાભાવે સિવિલ હોસ્‍પીટલમાં સારવાર માટે લાવવામાઆવી હતી.
મોડી સાંજે 8:30 વાગ્‍યાના સુમારે અમિતસિંહ એની પત્‍ની માટે સામરવરણીમાં રહેતા એમના સગાના ઘરેથી ટિફિન લેવા ગયો હતો, તે સમયે પરત હોસ્‍પિટલ પર એની બાઈક નંબર ડીડી-01-બી-7714પર આવતી વખતે સામરવરણી નજીક જ કોઈ અજાણ્‍યા વાહનચાલકે ટક્કર મારતા નીચે પટકાતા એના પેટ પરથી ટાયર ફરી વળતા એનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્‍થળ પર પહોંચી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઇ પીએમ માટે સિવિલ હોસ્‍પીટલમાં લઇ જવામા આવી હતી. મળેલ માહિતી મુજબ અમિતસિંહ મૂળ રહેવાસી યુપી કાનપુરનો છે અને અહીં લેબર કોન્‍ટ્રાકટર પાસે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

Related posts

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

vartmanpravah

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સૂચનાથી દમણના કોળી પટેલ સમાજના હોલમાં તા.22મી ડિસે.એ યોજાનારો રોજગાર મેળો

vartmanpravah

ચીખલીતાલુકાની કુકેરી જિ.પં. બેઠકના ભાજપી સભ્‍ય પ્રકાશ પટેલ કોંગ્રેસમાં જોડાયા

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમને દમણના વિદ્યાર્થીઓએ જીવંત નિહાળ્‍યું

vartmanpravah

આચાર સંહિતા વિતી જવા છતાં વાપી નૂતન નગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં નવિન સરદારપ્રતિમાનું અટવાયેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment