Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના સામરવરણી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં દમણના એક યુવાનનું ઘટના સ્‍થળે જ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.2ર
સેલવાસ ખાનવેલ રોડ પર સામરવરણી ચાર રસ્‍તા પર ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યુ છે જેના કારણે સાઈડના રસ્‍તા પર મોટામોટા ખાડાઓ હોવાને કારણે વારંવાર અકસ્‍માતની ઘટનાઓ બનતી રહે છે એક ઘટનામા દમણનો બાઈક સવાર ત્‍યાંથી પસાર થઇ રહ્યો હતો તે સમયે અચાનક અજાણ્‍યા વાહનચાલકે ટક્કર મારતા બાઈક પરથી નીચે પટકાયો હતો અને એના પેટ પરથી ટાયર ફરી વળતા ઘટનાસ્‍થળ પર જ એનું મોત થયું હતુ.
અમિતસિંગ (ઉ.વ.38) રહેવાસી દમણ જેની પત્‍ની ગર્ભવતી હતી અને એને દમણ મરવડ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવી હતી. જ્‍યા માંના પેટમાં જ બાળકનું મોત થઈ ગયું હતું. પરિવારજનોનો આરોપ છે કે અમિતસિંહની પત્‍ની રશ્‍મી સિંહના પેટમાં ઓપરેશન દરમ્‍યાન કચરો રહી જવાને કારણે એની કીડની પર અસર થતા એને મરવડ હોસ્‍પિટલથી વિનોબાભાવે સિવિલ હોસ્‍પીટલમાં સારવાર માટે લાવવામાઆવી હતી.
મોડી સાંજે 8:30 વાગ્‍યાના સુમારે અમિતસિંહ એની પત્‍ની માટે સામરવરણીમાં રહેતા એમના સગાના ઘરેથી ટિફિન લેવા ગયો હતો, તે સમયે પરત હોસ્‍પિટલ પર એની બાઈક નંબર ડીડી-01-બી-7714પર આવતી વખતે સામરવરણી નજીક જ કોઈ અજાણ્‍યા વાહનચાલકે ટક્કર મારતા નીચે પટકાતા એના પેટ પરથી ટાયર ફરી વળતા એનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્‍થળ પર પહોંચી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઇ પીએમ માટે સિવિલ હોસ્‍પીટલમાં લઇ જવામા આવી હતી. મળેલ માહિતી મુજબ અમિતસિંહ મૂળ રહેવાસી યુપી કાનપુરનો છે અને અહીં લેબર કોન્‍ટ્રાકટર પાસે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

Related posts

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS કાર્યક્રમ હેઠળ કવોલિટી સર્ટિ. મળ્યું, સાથે ૩ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૩ લાખની ગ્રાન્ટ પણ મળશે

vartmanpravah

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી): કાચુ મકાનમાં વસવાટ દરમિયાન અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડતો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારૂ પાકા મકાનનું સ્‍વપ્‍ન પૂર્ણ થયું. દિવ્‍યાંગ હેતલકુમાર પટેલ

vartmanpravah

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

વાપી વિસ્‍તારમાં કોંગ્રેસ-અને આપ દ્વારા ચૂંટણી પ્રચાર : રોડ અને બ્રિજ બનાવવા એ વિકાસ નથી : અનંત પટેલ

vartmanpravah

Leave a Comment