July 24, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવ સ્‍ટેટ કો.ઓ. બેંકે પોતાના જૂના બાકીદારો પાસેનું દેવું વસૂલવા ઘરે બેન્‍ડવાજાની ટીમ મોકલવા શરૂ કરેલો નવો કિમીયો

દમણના પૂર્વ બી.ડી.ઓ. કે.બી.પટેલના ઘરે બેન્‍ડવાજા લઈ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના બ્રાન્‍ચ મેનેજર અને રિક્‍વરી ઓફિસર ઈશ્વરભાઈ પટેલ અને તેમની ટીમે ધામા નાંખી પીટેલા ઢોલ
લોકોમાં પેદા થયેલી કુતુહલતાઃ દમણ-દીવ કો-ઓ.બેંકની નવી ગાંધીગીરીથી બેંકના બાકીદારોમાં ફેલાયેલો ફફડાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16: દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકે પોતાના જૂના બાકીદારો પાસેથી બાકીની રકમ વસૂલવા માટે દાદાગીરી નહીં પરંતુ નવી ગાંધીગીરી અપનાવી બાકીદારોના ઘરની બહાર બેન્‍ડવાજાની સાથે બેંકની ટીમ મોકલી બાકીદારને પોતાનું બાકી દેવું ચૂકવવા પ્રેરિત કરાઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ-દીવ કો-ઓપરેટિવ બેંકે પોતાની અભિનવ ગાંધીગીરીનો પ્રયોગ આજે દમણના પૂર્વ બી.ડી.ઓ. કે.બી.પટેલ(ખાલપાભાઈ બી. પટેલ)ના નિવાસ સ્‍થાન ભીમપોરથી કર્યો હતો. બેંકના બ્રાન્‍ચ મેનેજર અને રિક્‍વરી ઓફિસર શ્રી ઈશ્વર પટેલ અને તેમની ટીમે કે.બી.પટેલના નિવાસ સ્‍થાનની બહાર બેન્‍ડવાજા વાગડી તેમને બેંકનું બાકી દેવું ચૂકવવા નિર્દેશ આપ્‍યો હતો.
દમણનાપૂર્વ બી.ડી.ઓ. કે.બી.પટેલના ઘરની બહાર બેન્‍ડવાજાની ધૂન સંભળાતા ગામના લોકો પણ કુતુહલવશ એકત્ર થયા હતા અને બેંક કર્મચારીઓ હાથમાં ખાલપાભાઈ પટેલના નામનું બેનર લઈ દરવાજા ઉપર ઉભા રહ્યા હતા. બેનરમાં મોટા મોટા અક્ષરોથી લખવામાં આવ્‍યું હતું કે, ‘‘શ્રીમાન ખાલપાભાઈ ભવલાભાઈ પટેલ ભીમપોર નિવાસી, એક્‍સ. બી.ડી.ઓ. દમણ દ્વારા બેંકની લોન રૂા.1,68,23,370/- ચૂકવવાની બાકી છે. લોનની ભરપાઈ કરવા વિનંતી.”
મળતી માહિતી પ્રમાણે દમણના પૂર્વ બી.ડી.ઓ. અને શિવમ પ્‍લાસ્‍ટિકના માલિક ખાલપાભાઈ ભવલાભાઈ પટેલ(કે.બી.પટેલે) 1996માં આ બેંક પાસેથી રૂા.20 લાખની ટર્મ લોન અને રૂા.10 લાખ સીસી લોન કંપની ચલાવવા માટે લીધી હતી. બેંક દ્વારા અનેક વખત લોનની બાકી ચૂકવવા માટે નિર્દેશ આપવામાં આવ્‍યો હતો. પરંતુ તેમના દ્વારા બાકી રકમની ચૂકવણી નહીં કરાઈ હતી. છેવટે બેંકે આજે ગાંધીગીરીનો નવતર અભિગમ અપનાવી બેન્‍ડવાજાની સાથે બાકી દેવું ચૂકવવા નિર્ણય લીધો હતો.
અત્રે નોંધનીય છે કે, દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વહીવટદાર શ્રી કરણજીત વાડોદરિયાએ બેંકના બાકીદારોને ઈમાનદારીથી પોતાની બાકી રકમ ચૂકવવા સંદેશ આપ્‍યો છે અને જો તેઓ બાકી રકમ ચૂકવવા કસૂર કરશે તો તેમના ઘરની બહાર પણ બેન્‍ડવાજાની ટીમ સાથેબેંકના કર્મીઓ ઘરની બહાર દસ્‍તક આપશે.

Related posts

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ આદિમ જુથના આવાસો, સ્‍ટેટ હોસ્‍પિટલમાં બ્‍લડ બેંકના મુદ્દા ગાજ્‍યા

vartmanpravah

સયાજી વૈભવ લાઈબ્રેરીના પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ અંતર્ગત નવસારીની શાળાઓ તેમજ વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં ગાંધી જ્‍યંતીની ઉજવણી કરી

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

કપરાડાના તાલુકાના સુથારપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 5368 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

કપરાડાના આસલોણા ગામે દમણગંગા નદીના કોઝવે પસાર કરતાં પિતા-પૂત્ર અને પડોશી પૂત્ર તણાયા

vartmanpravah

ચીખલીમાં કાવેરી નદી ઉપર સાદકપોર ગોલવાડ અને તલાવચોરા ગામે રૂા.42.50 કરોડના ખર્ચે બે નવા મેજર બ્રિજને મંજૂરી મળતાં સ્‍થાનિકોમાં આનંદની લાગણી છવાઈ

vartmanpravah

Leave a Comment