December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી વંકાલમાં સિંચાઈ વિભાગ દ્વારા માઈનોર કેનાલ અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ફેલાયેલી આનંદણી લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: વંકાલમાં મુખ્‍યમાર્ગથી ગામના પ્રવેશદ્વાર નજીક ખુલ્લી જગ્‍યામાંથી પસાર થતી બીલીમોરા માઈનોર કેનાલ નડતરરૂપ હોય ઘણા લાંબા સમયથી સ્‍થાનિકો દ્વારા આ કેનાલને ખુલ્લી જગ્‍યાવાળી લંબાઈમાં અંદર ગ્રાઉન્‍ડ કરવાની માંગ કરાઈ રહી હતી.
આ દરમ્‍યાન વંકાલ – વજીફા ફળીયા ગામના અગ્રણી દીપકભાઈ સોલંકી સાથે પરેશભાઈ સહિતના સ્‍થાનિક યુવાનો દ્વારા સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત કરી ખુલ્લી જગ્‍યા વાળા ભાગમાં નહેરને અંદર ગ્રાઉન્‍ડ કરવાની માંગ કરી હતી. આ ખુલ્લી જગ્‍યામાં સ્‍થાનિકો દ્વારા રમત ગમત ઉપરાંત સામાજીક, ધાર્મિક, સાંસ્‍ક્રુતિક કાર્યક્રમો પણ અવાર નવાર યોજવામાં આવતા હોય નહેર અડચણરૂપ જણાતી હતી. સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત બાદ ગામના અગ્રણી દીપકભાઈ સોલંકી દ્વારા સિંચાઈ વિભાગના ચીખલી સબડિવિઝન નવસારી ડિવિઝન અને સુરત વર્તુળમાં અધિકારીઓ સાથે સતત પરામર્સમાં રહી જરૂરી સંકલન સાધતા એકાદ માસની અંદર જ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલને અંદર ગ્રાઉન્‍ડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
હાલે સિંચાઈ વિભાગ વંકાલ ગામે 145-મીટર જેટલી લંબાઈમાં 16.32 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી પાઇપ નાંખી અંદર ગ્રાઉન્‍ડ કરવાની કામગીરી નાયબ કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈ પટેલ અધિક મદદનીશ ઈજનેર રવિભાઈ સહિતના સ્‍ટાફની નિગરાણીમાં હાથ ધરવામાં આવી છે. વંકાલ ગામે નહેરને અંદર ગ્રાઉન્‍ડ કરવાની માંગ ઘણા વર્ષથી હતી. પરંતુ આ કામ માટે દીપકભાઈ સોલંકીએ બીડું ઝડપી અથાગ પ્રયત્‍ન કરતા અને રાજકીય પ્રતિનિધિઓ દ્વારા પણ રસ દાખવામાં આવતા આખરે સફળતા મળી હતી.

Related posts

કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS કાર્યક્રમ હેઠળ કવોલિટી સર્ટિ. મળ્યું, સાથે ૩ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૩ લાખની ગ્રાન્ટ પણ મળશે

vartmanpravah

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

દાદરાની સ્‍ટરલાઈટ કંપનીના કામદારોએ વિવિધ સમસ્‍યાને લઈ પાડેલી હડતાળ : લેબર ઓફિસરે પ્રશ્નના યોગ્‍ય નિકાલની આપેલી બાહેંધરી

vartmanpravah

અષાઢી મેઘતાંડવમાં વાપી પૂર્વ વિસ્‍તાર વરસાદી પાણીમાં ગરકાવ

vartmanpravah

નવસારી જિલ્લામાં હિટવેવથી લોકોનાં આરોગ્‍યને ફટકોઃ મે-મહિનાના 11 દિવસમાં જ 108 ઈમરજન્‍સીને 228 કોલ આવ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્‍યા મોહને પૂરઅસરગ્રસ્‍ત કાશ્‍મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment