Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરની દાદાગીરી : આદિવાસી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા એટ્રોસીટી હેઠળ ફરિયાદ દાખલ કરવા એસપીને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રહેતા આદિવાસી પરિવારની મહિલાને મજૂરીના પૈસા નહી આપતા અને લેબર કોન્‍ટ્રાકટર દ્વારા એમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ અરજી આપવામા આવી હતી. પરંતુ હજી સુધી લેબર કોન્‍ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી નહી થતા સેલવાસ નગરપાલિકા સભ્‍ય મનોજ દયાત દ્વારા લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી ઉપર અનુસૂચિત જનજાતિ અત્‍યાચાર નિવારણ અધિનિયમ 1989 મુજબ કાર્યવાહી કરવા એસપીને લેખિત રજૂઆત કરવામા આવી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી દ્વારા અભદ્ર ભાષાનો જે ઓડિયો સોશિયલ મિડિયામા વાયરલથયેલ છે જેનાથી સમસ્‍ત આદિવાસી સમુદાયને અપમાનિત કરવામા આવેલ છે. જેથી બલદેવ તિવારી ઉપર અનુસૂચિત જનજાતિ અત્‍યાચાર નિવારણ અધિનિયમ 1989 મુજબ સખ્‍ત કાર્યવાહી થવી જોઈએ એવી દરખાસ્‍ત છે.

Related posts

દમણ : કચીગામ બોર્ડરથી ચાર રસ્‍તા સુધી છેલ્લા એક સપ્તાહથી અંધારપટ : સ્‍ટ્રિટ લાઈટો ઠપ્‍પ

vartmanpravah

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

vartmanpravah

કપરાડાના અંભેટી ત્રણ રસ્‍તા પર કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત : તમામ ઘાયલોને સારવાર માટે ખસેડાયા

vartmanpravah

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ યુટી લેવલે કલા ઉત્‍સવ 2024-25 માં ભાગ લેવા સેલવાસ જવા રવાના

vartmanpravah

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

Leave a Comment