April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરની દાદાગીરી : આદિવાસી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા એટ્રોસીટી હેઠળ ફરિયાદ દાખલ કરવા એસપીને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રહેતા આદિવાસી પરિવારની મહિલાને મજૂરીના પૈસા નહી આપતા અને લેબર કોન્‍ટ્રાકટર દ્વારા એમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ અરજી આપવામા આવી હતી. પરંતુ હજી સુધી લેબર કોન્‍ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી નહી થતા સેલવાસ નગરપાલિકા સભ્‍ય મનોજ દયાત દ્વારા લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી ઉપર અનુસૂચિત જનજાતિ અત્‍યાચાર નિવારણ અધિનિયમ 1989 મુજબ કાર્યવાહી કરવા એસપીને લેખિત રજૂઆત કરવામા આવી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી દ્વારા અભદ્ર ભાષાનો જે ઓડિયો સોશિયલ મિડિયામા વાયરલથયેલ છે જેનાથી સમસ્‍ત આદિવાસી સમુદાયને અપમાનિત કરવામા આવેલ છે. જેથી બલદેવ તિવારી ઉપર અનુસૂચિત જનજાતિ અત્‍યાચાર નિવારણ અધિનિયમ 1989 મુજબ સખ્‍ત કાર્યવાહી થવી જોઈએ એવી દરખાસ્‍ત છે.

Related posts

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

vartmanpravah

કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્‍યું દિલધડક રેસ્‍કયુ ઓપરેશન

vartmanpravah

વાપી તાલુકામાં ત્રણ પી.એચ.સી. ખાતે ટેલી હેલ્‍થ સેન્‍ટરનું ઉદ્‌ઘાટનઃ છીરી, કરવડ અનેડુંગરા ખાતે ટેલી કન્‍સલ્‍ટન્‍ટસીની સેવાઓ ઉપલબ્‍ધ બનશે

vartmanpravah

ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સમક્ષ આગેવાનો દ્વારા વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં ખેડૂતોને થયેલ નુકસાન અને વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ

vartmanpravah

પ્રદેશના વિદ્યુત નિગમના ખાનગીકરણ થયા બાદ દાનહના લગભગ 30 હજાર જેટલા ગરીબ આદિવાસીઓ ઉપર ફરી દિવા-ફાનસના યુગમાં આવવાનું તોળાતુ સંકટ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

Leave a Comment