October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્‍યમિક શાળા માંદોની દ્વારા પેરન્‍ટ્‍સ ટીચર મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને આ 15 ઓગસ્‍ટ ભારત દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 13 થી 15ઓગસ્‍ટ સુધી દરેક ઘરો પર તિરંગો ફરકાવવા અને દેશ પ્રત્‍યેની પ્રેમભાવના બનાવી રાખવા માટે વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્‍યાન દરેક વાલીઓને પાંચ પાંચના સમુહમાં ટીમ બનાવી ભારતના ઝંડામાં રંગ ભરવાની પ્રવૃત્તિના માધ્‍યમથી વાલીઓમા જાગૃકતા પેદા કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી પ્રવીણ ભોયા, શિક્ષકોઅને કર્મચારીઓ દ્વારા શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલના માર્ગદર્શનમાં કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તાર ગટરના ઢાંકણા ગાયબ તો કેટલાક જામ : કરોડોના ખર્ચે બનેલ ગટરના ખસ્‍તાહાલ

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગ દ્વારા ત્રણ જગ્‍યા પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો જપ્ત કરાયો

vartmanpravah

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah

દમણ ન.પા.ને સંપૂર્ણ કચરા અને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા ચાલી રહેલી સ્‍વચ્‍છતા ઝૂંબેશ

vartmanpravah

Leave a Comment