Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્‍યમિક શાળા માંદોની દ્વારા પેરન્‍ટ્‍સ ટીચર મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને આ 15 ઓગસ્‍ટ ભારત દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 13 થી 15ઓગસ્‍ટ સુધી દરેક ઘરો પર તિરંગો ફરકાવવા અને દેશ પ્રત્‍યેની પ્રેમભાવના બનાવી રાખવા માટે વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્‍યાન દરેક વાલીઓને પાંચ પાંચના સમુહમાં ટીમ બનાવી ભારતના ઝંડામાં રંગ ભરવાની પ્રવૃત્તિના માધ્‍યમથી વાલીઓમા જાગૃકતા પેદા કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી પ્રવીણ ભોયા, શિક્ષકોઅને કર્મચારીઓ દ્વારા શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલના માર્ગદર્શનમાં કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી રેલવે સ્‍ટેશન ઉપર તહેવારોમાં વતન જતા મુસાફરોની ભીડ ઉમટી પડી : ભીડને નિયંત્રિત કરવા રેલવે લાચાર

vartmanpravah

મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ દમણ-દીવ ભાજપના કાર્યકરોનો પણ બુલંદ બનેલો જોમ અને જુસ્‍સો

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીના દિવાળી સ્‍નેહ મિલનમાં ભૂદેવો ઉમટયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે 26 જાન્‍યુ.એ ગૌરવની ઘડીનું થનારૂં સર્જન : સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દિલ્‍હીના રાજપથ ઉપર પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડમાં દમણ-દીવના ટેબ્‍લોને મળેલું સ્‍થાન 

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર મિત્રતા કેળવી પારડીના યુવકે વલસાડની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી, પી.બી.એસ.સી.એ જીવન બચાવ્‍યું

vartmanpravah

Leave a Comment