April 23, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્‍યમિક શાળા માંદોની દ્વારા પેરન્‍ટ્‍સ ટીચર મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને આ 15 ઓગસ્‍ટ ભારત દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 13 થી 15ઓગસ્‍ટ સુધી દરેક ઘરો પર તિરંગો ફરકાવવા અને દેશ પ્રત્‍યેની પ્રેમભાવના બનાવી રાખવા માટે વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્‍યાન દરેક વાલીઓને પાંચ પાંચના સમુહમાં ટીમ બનાવી ભારતના ઝંડામાં રંગ ભરવાની પ્રવૃત્તિના માધ્‍યમથી વાલીઓમા જાગૃકતા પેદા કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી પ્રવીણ ભોયા, શિક્ષકોઅને કર્મચારીઓ દ્વારા શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલના માર્ગદર્શનમાં કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસની જિલ્લા કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર ખાનવેલના આરોપીને ફટકારેલી દસ વર્ષની કઠોર જેલની સજા

vartmanpravah

પારડીના રોહિણા ખાતેથી સાત જુગારીયાઓને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા વણાકબારા ગ્રામ પંચાયત ખાતે ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગત શાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમને દમણના વિદ્યાર્થીઓએ જીવંત નિહાળ્‍યું

vartmanpravah

ખૂંટેજમાં કાકા-બાપાના ભાઈઓ જમીન બાબતે બાખડયા

vartmanpravah

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment