(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્યમિક શાળા માંદોની દ્વારા પેરન્ટ્સ ટીચર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને આ 15 ઓગસ્ટ ભારત દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 13 થી 15ઓગસ્ટ સુધી દરેક ઘરો પર તિરંગો ફરકાવવા અને દેશ પ્રત્યેની પ્રેમભાવના બનાવી રાખવા માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન દરેક વાલીઓને પાંચ પાંચના સમુહમાં ટીમ બનાવી ભારતના ઝંડામાં રંગ ભરવાની પ્રવૃત્તિના માધ્યમથી વાલીઓમા જાગૃકતા પેદા કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી પ્રવીણ ભોયા, શિક્ષકોઅને કર્મચારીઓ દ્વારા શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.